________________
૨૩૮
ચોવીશ તીર્થકર
ણે ગાયકોને ગાતાં જોઈને શવ્યાપાળને કહ્યું કે તે આ ગાયકોને કેમ વિદાય કયા નહિ ?
શવ્યાપાળ કહે : “રાજન, ગાયનના લોભથી આમ બનવા પામ્યું. - શવ્યાપાળનો આવો ઉત્તર સાંભળીને ત્રિપુષ્ટને ક્રોધ પડ્યો અને એજ વખતે શવ્યાપાળના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું.
શવ્યાપાળ તરત જ મૃત્યુને આધીન થયો. આ કૃત્યથી ત્રિપુષ્ટ અશાતા વેદનીય કર્મ નિકાચિત બાંધ્યું. તથા બીજા ઘણા મહા માઠા પરિણામવાળા ઉગે કમ બાધ્યાં.
પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપુણે હિંસાદિકમાં અવિરતપણે તથા મહાઆરંભ તથા પરિગ્રહમાં તત્પરપણે ચોરાશી લાખ વર્ષ નિર્ગમન કર્યો. ત્યાંથી મૃત્યુ પામીને સાતમી નરકમાં નારકી થયો અને તેના વિયોગથી અચલ બળદેવ દીક્ષા લઈને મૃત્યુ પામીને મોક્ષે ગયા.
ત્રિપુષ્ટનો જીવ સાતમી નરકમાંથી નીકળીને કેશરીસિંહ થયો. તે મૃત્યુ પામીને ચોથી નરકે ગયો. તે રીતે તિર્યંચ અને મનુષ્યાદિ ગતિમાં ઘણા ભવ ભમ્યો. પછી મનુષ્યજન્મ પામીને તેણે શુભકર્મ ઉપાર્જન કર્યું. તેથી તે ત્રેવીસમા ભવે અપરવિદેહમાં મુકાનગરીમાં ધનંજય રાજાની ધારિણી નામની રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ચૌદ સ્વપ્નોએ જેની ચક્રવર્તીપણાની સમૃદ્ધિ જણાવી છે એવા સંપૂર્ણ લક્ષણવાળા તે પુત્રને ધારિણીએ યથાયોગ્ય સમયે જન્મ આપ્યો. માતાપિતાએ એનું નામ પ્રિય મિત્ર પાડ્યું. પ્રિય મિત્ર માતાપિતાની મમતા, સ્નેહ અને પ્રેમની ધારા વચ્ચે મોટો થયો. ધનંજયે પ્રિય મિત્રને રાજ્યનો કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. રાજ્યની ધૂરા ગ્રહણ કર્યા પછી પ્રિયમિત્રને ચૌદ મહારત્નો ઉત્પન્ન થયા. પછી ચક્રના માર્ગને અનુસરીને ષટખંડ વિજય કરવા ચાલ્યો અને બધી દિશાઓમાં વિજય પ્રાપ્ત કર્યો. અને મુકા નગરીમાં પાછા આવ્યા ત્યાં દેવતાઓએ અને રાજાઓએ બાર વર્ષના મહોત્સવપૂર્ણ તેમના ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. પ્રિય મિત્ર રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org