________________
શ્રી મહાવીર સ્વામી
ગ્રામ્યજનોએ રાજા અશ્વગ્રીવને બધો વૃત્તાંત જણાવ્યો. રાજા અશ્વગ્રીવ ત્રિપુષ્ટથી શંકા પામવા લાગ્યો. તેથી એણે એક દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે તમારા બન્ને પુત્રોને મારી પાસે મોકલો નહીંતર યુદ્ધ કરવા તૈયા૨ થઈ જાઓ.
પોતનપુરમાં રાજા અશ્વગ્રીવના દૂતના આવા શબ્દો સાંભળીને બન્ને કુમારો આગળ વધીને દૂતને નગરી બહાર કાઢી મૂક્યો. દૂતે અશ્વગ્રીવ રાજાને બધી વાત કરી.
અને...
યુદ્ધ માટે બન્નેના સૈન્ય ૨થાવર્તીગર પાસે આવ્યા. યુદ્ધ શરૂ થયું. યુદ્ધમાં બન્ને પક્ષે સૈનિકોની ખુવારી થઈ. યુદ્ધનો અંત લાવવા ત્રિપુષ્ટ ચક્ર હાથમાં લઈને રાજા અશ્વગ્રીવનું મસ્તક વધેરી નાખ્યું.
તે વખતે ‘આ અચલ અને ત્રિપુષ્ટ પહેલા બળદેવ અને વાસુદેવ છે' એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરીને ઘોષણા કરી. સર્વ રાજાઓએ બન્ને કુમારોને વંદન કર્યા. પછી બન્ને વીરોએ દક્ષિણ ભરતાઈને સાધી કોટી શિલા પાસે આવી પોતાની ભુજાવડે કોટી શિલાને છત્રની માફક મસ્તક સુધી ઊંચી કરી. બધા ક્ષેત્રમાં પોતાના પરાક્રમો બતાવીને પોતનપુર ગયા. દેવોએ તથા રાજાઓએ તેમનો અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો.
૨૩૭
જે જે રત્નવસ્તુઓ દૂર રહેતી હતી. તે બધી ત્રિપુષ્ટને મળવા લાગી. ગાયકોમાં રત્નરૂપ ગણાતા કેટલાક મધુર સ્વરવાળા કલાકારો ત્રિપુષ્ટ પાસે આવ્યા. તેઓ ગાતા ગાતા વાસુદેવને નિદ્રાધીન કરી દેતા.
એક વખતે ત્રિપુષ્ટ શય્યાપાળને કહ્યું, ‘કે મને નિદ્રા લાધી જાય પછી ગાયકોને વિદાય કરી દજે...’
શય્યાપાલક કહે : ‘ભલે...જેવી આપની આશા...'
ત્રિપુષ્ટને ગાયકોની મધુર સુરાવલીથી નિદ્રા આવી ગઈ. પણ તે ગાયકોના મધુર ગાયનમાં લુબ્ધ થયેલા શય્યાપાળે તે ગાયકોને વિદાય ન કર્યાં. એમ કરતાં પ્રાતઃકાળ થવા આવ્યો એટલે વાસુદેવ ઊઠ્યા. એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org