________________
૨૩૬
ચોવીશ તીર્થંકર
રક્ષકોએ ત્રિપુષ્ટને તુંગગિરિની ગુફામાં રહેલો સિંહ બતાવ્યો. અચલ અને ત્રિપુષ્ટ રથમાં બેસીને ગુફા પાસે આવ્યા. ગુફની પાસે લોકોએ કોલાહલ કર્યો. કોલાહલ સાંભળીને કેશરીસિંહ આળસ મરડીને ત્રાડ નાખતો ગુફાની બહાર આવ્યો.
કેશરીસિંહને જોઈને ત્રિપુટને થયું કે આ સિંહ તો પેદલ છે અને હું રથી છું માટે અમારા બન્નેનું યુદ્ધ સમાન ન કહેવાય. તેમજ સિંહ નિઃશસ્ત્ર છે તેથી મારે પણ એક પણ હથિયાર ન લેવા જોઈએ. આમ વિચારીને તે રથમાંથી ઉતરીને ધરતી પર આવ્યો. કોઈ પણ શસ્ત્રો હાથમાં લીધા નહિ.
ત્રિપુષ્ટને જોતાં જ કેશરીસિંહને જાતિસ્મરણ જ્ઞાન થયું અને મારા વૈરીને હમણાં જ હણી નાખું આમ વિચારી મુખ ફાડીને ફાળ ભરીને ત્રિપુષ્ટ ઉપર કુધો. એટલે ત્રિપુરે એક હાથે ઉપરનો અને બીજા હાથે નીચેનો હોઠ પકડીને જીર્ણ વસ્ત્રની જેમ તેને ફાડી નાખ્યો. તત્કાળ દેવતાઓએ વાસુદેવ ઉપર પુષ્પ, આભરણ અને વસ્ત્રોથી વૃષ્ટિ કરી. લોકો વિસ્મય પામી ગયા. “સાધુ” એવા શબ્દો ઉચ્ચારતા સ્તુતિ કરવા લાગ્યા.
તે વખતે “અરે...અરે..આ નાના બાળક જેવા કુમારે મને આજે કેમ માર્યો?” એવા અમર્ષથી તે સિંહ બે ભાગે થયો હોવા છતાં ધ્રુજતો હતો. ત્રિપુષ્ટનો સારથી કે જે ગૌતમ ગણધરનો જીવ હતો. એણે કહ્યું “અરે સિંહ જેમ તું પશુઓમાં સિંહ છે, તેમ આ ત્રિપુષ્ટકુમાર મનુષ્યોમાં સિંહ સમાન છે. તેણે તને માર્યો છે તેથી તું વૃથા અપમાન શા માટે માને છે? કારણ કે કોઈ હીન પુરુષે તને માર્યો નથી.'
અમૃત સમી સારથીની વાણી સાંભળીને પ્રસન્ન થઈને તે કેશરીસિંહ મૃત્યુ પામ્યો. અને ચોથા નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો.
બને કુમારો તે સિંહનું ચર્મ લઈ ને નગર તરફ ચાલ્યા. કુમારોએ ગ્રામ્યજનોને આ સમાચાર અશ્વગ્રીવ રાજાને કહી સંભળાવવા જણાવ્યું અને હવે નિરાંતે શાળી ખાય અને વિશ્વાસ ધરીને રહે તેમ જણાવ્યું.
બને કુમારો પોતનપુર ચાલ્યા ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org