________________
૨૩૪
ચોવીશ તીર્થંકર
પિતાએ તેને ઉસંગમાં લીધી. મૃગાવતી અનિદ્ય રૂપ ધરાવતી જોઈને કામવશ રાજા તેને પરણવાની ઇચ્છાવાળો ઉપાય વિચારીને તેને વિદાય કરી. રાજા સભામાં આવ્યો અને નગરના વૃદ્ધજનોને બોલાવીને પૂછ્યું : આપણા સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કોનું કહેવાય ?
વૃદ્ધો બોલ્યા : રાજન, એ આપનું જ ગણાય.’
આ રીતે ત્રણવાર રાજાએ નગરીના આગેવાનોના મુખે ઉપરોક્ત વાત બોલાવી. રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી અને ગાંધર્વ વિધિથી તેની સાથે પરણ્યો. આ જોઈને ભદ્રા રાણી લા અને ક્રોધથી રાજાને ત્યજીને અચલને લઈ નગરી બહાર નીકળી ગઈ. દક્ષિણ દેશમાં આવી અચલકુમારે ત્યાં માહેશ્વરી નગરી વસવી, માતાને ત્યાં રાખીને તે પિતા પાસે આવ્યો.
રાજા પોતાની પુત્રીરૂપ પ્રજાનો પતિ થવાથી લોકો તેમને પ્રજાપતિ નામથી ઓળખવા લાગ્યા. તે મરિચિનો જીવ સાત સ્વપ્ન સુચિત વાસુદેવપણે મૃગાવતીના ઉદરમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. તેનો જન્મ થતાં તેના પુષ્ટ ભાગમાં ત્રણ પાંસળીઓ હોવાથી ત્રિપૃષ્ઠ નામ પાડ્યું. તે એંશી ધનુષ્યની કાયાવાળો થઈને અચલની સાથે રમવા લાગ્યો. સર્વ કલાનું અધ્યયન કરીને અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો.
આ તરફ વિશાખનંદીનો જીવ અનેક ભવોમાં પરિભ્રમણ કરીને તું ગિરિમાં કેશરીસિંહ થયો. તે શંખપુર પ્રદેશમાં ઉપદ્રવ કરવા લાગ્યો.
તે સમયે અશ્વગ્રીવ નામના પ્રતિ વાસુદેવે એક નિમિત્તજ્ઞને પૂછ્યું: “મારું મૃત્યુ કોનાથી થશે ?”
ત્યારે નિમિત્તશે કહ્યું : “જે આપના ચંડવેગ દૂતનો પરાભવ કરશે અને તુંતગિરિ પર રહેલા કેશરીસિંહને હણશે તે આપનો મારનાર થશે...”
અશ્વગ્રીવ રાજાએ શંખપુરમાં રક્ષણનો પ્રબંધ કર્યો અનેક રાજાઓ કે જે પોતાના તાબા હેઠળ હતા તેઓને વારા પ્રમાણે કેશરીસિંહથી લોકોના રક્ષણ માટે બોલાવ્યા. એક વાર અશ્વગ્રીવ રાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org