________________
શ્રી મહાવીર સ્વામી
ચારિત્ર ગ્રહણ કર્યું. તેને દીક્ષિત થયેલો સાંભળીને વિશ્વનંદી રાજા, યુવરાજ વિશાખનંદી તથા રાજપરિવારના સભ્યો વાંદવા આવ્યા. વિશ્વનંદી રાજાએ રાજ્ય ગ્રહણની પ્રાર્થના કરી. પરંતુ વિશ્વભૂતિએ સ્પષ્ટ ના પાડી, રાજા અને પરિવારના સભ્યો પોતાના સ્થાને ગયા. વિશ્વભૂતિ મુનિએ ગુરુની સાથે અન્યત્ર વિહાર કર્યો.
તપશ્ચર્યાના કારણે અતિ કૃશ થયેલા અને ગુરુની આજ્ઞાથી એકાકી વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ એકવાર મથુરા નગરીમાં આવ્યા. તે વખતે ત્યાંના રાજાની પુત્રીને પરણવા માટે વિશાખનંદી ત્યાં આવ્યો હતો.
વિશ્વભૂતિ મુનિ માસખમણના અંતે પારણું કરવા નગરીમાં વહોરવા માટે ગયા. માર્ગમાં વિશાખનંદીની છાવણી હતી. ત્યાંથી વિશ્વભૂતિ મુનિ પસાર થતા હતા ત્યારે વિશાખનંદીના માણસો બોલી ઊઠ્યા : આ વિશ્વભૂતિકુમાર જાય...' વિશાખનંદી તરત જ વિશ્વભૂતિ મુનિને ઓળખી ગયો. શત્રુને જોતાં જ કોપ ચડે એ રીતે વિશાખનંદીને ક્રોધ ચડ્યો. તેવામાં વિશ્વભૂતિ મુનિ એક પ્રાણી સાથે અથડાયા અને ધરતી પર પડી ગયા. આ જોઈને વિશાખનંદીએ અટ્ટહાસ્ય કર્યુ અને બોલ્યો : અરે... કોઠાના ફળોને પાડવાનું તારું બળ ક્યાં ગયું ?
આ સાંભળીને વિશ્વભૂતિએ ક્રોધ વડે તે પ્રાણીને પકડીને આકાશમાં ભમાવીને એનું નિમાણું કર્યું કે આ ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી હું ભવાંતરે મહાપરાક્રમી થઈને આ વિશાખનંદીના મૃત્યુનો કારક બનું...’ ત્યારપછી કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વ પાપોની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો.
૨૩૩
ત્યાંથી ચ્યવીને અઢારમા ભવે ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ રાજાને ભદ્રા નામની સ્ત્રીથી ચાર સ્વપ્નસુચિત એક અચલ નામનો બળદેવ પુત્ર થયો અને મૃગાવતી નામની સુંદર રૂપવતી પુત્રી થઈ. યૌવનમાં આવતાં તે બાળા એક વાર પિતાને પ્રણામ કરવા આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org