________________
ચોવીશ તીર્થંકર
નામનો પુત્ર થયો. રાજાને વિશાખભૂતિ નામનો એક નાનો ભાઈ યુવરાજ હતો. તે યુવરાજને ધારિણી નામે સ્ત્રી હતી. મરિચિનો જીવ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા શુભ કર્મથી તે વિશાખભૂતિ યુવરાજની ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રરૂપે અવતર્યો. તે યૌવનવયમાં આવતા પુષ્પકદંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરતો હતો. તેવામાં રાજાનો પુત્ર વિશાખનંદી ક્રીડા કરવાની ઇચ્છાએ ત્યાં આવ્યો. પણ વિશ્વભૂતિ ઉદ્યાનમાં રહેલો હોવાથી બહાર રહ્યો. તે સમયે પ્રિયંગુ રાણીની દાસીઓ પુષ્પો ચુંટવા આવી, તેમણે વિશ્વભૂતિ અને વિશાખાનંદીને અંદર અને બહાર રહેલો જોઈને તરત જ પ્રિયંગુ રાણીને સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળીને પ્રિયંગુ રાણીના ક્રોધનો પાર ન રહ્યો. તે રીસાઈ ગયા. તરત જ રાજા ત્યાં આવ્યો અને રાણીની ઈચ્છ પરિપૂર્ણ કરવા ભેરી વગડાવી. અને કપટવડે સભામાં જણાવ્યું કે આપણો પુરૂષસિંહ નામનો સામંત ઉદ્ધત થઈ ગયો છે માટે તેનો વિજય કરવા હું જઈશ.’
૨૩૨
આ સમાચાર વિશ્વભૂતિએ જાણ્યા કે વનમાંથી બહાર નીકળીને સીધો રાજસભામાં આવ્યો અને ભક્તિવડે રાજાને પ્રણામ કરીને પોતે આ કાર્ય કરવા તૈયાર થઈ ગયો. તે સુભદ્રો સાથે પુરૂષસિંહ સામંત પાસે ગયો ત્યાં તેને આજ્ઞાવંત જોઈને વિશ્વભૂતિ પાછો ફર્યો. માર્ગમાં પુષ્પકરંડક ઉઘાન પાસે આવ્યો. ત્યારે દ્વારપાળે જણાવ્યું કે અંદર વિશાખનંદી રાજકુમાર છે.
આવું સાંભળીને વિશ્વભૂતિ વિચારવા લાગ્યો કે મને કપટ વડે પુષ્પકરંડક ઉદ્યાનમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આથી ક્રોધિત થઈને મુષ્ટિ વડે એક કોઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો, કે વૃક્ષના બધા ફળ ધરતી પર પડ્યા. દ્વારપાળને તે બધા ફ્ળ બતાવતાં કહ્યું : “જો વડીલ પિતાશ્રી ઉ૫૨ મારી ભક્તિ ન હોત તો હું આ કોઠાના ફળની જેમ તમારા બધાના મસ્તકો ભો ભેગા કરી મૂક્ત. પરંતુ તેમના પ૨ની ભક્તિને કારણે એવું કરી શકતો નથી. તેમજ મારે હવે વંચનાયુક્ત ભોગની જરૂર પણ નથી.' આમ બોલતો વિશ્વભૂતિ સંભૂતિ મુનિની પાસે ગયો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org