________________
શ્રી મહાવીર સ્વામી
૨૩૧
થયો.
મરિચિનો શિષ્ય કપિલ પણ આ સૂર્ય વગેરેને પોતાના શિષ્યો બનાવી પાંચમાં દેવલોકમાં દેવ થયો. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો. અને તેણે આ સૂર્ય વગેરેને પોતાનો સાંખ્ય મત જણાવ્યો. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્યદર્શન પ્રવર્તે..
જ્યારે મરિચિનો જીવ બ્રહ્મ દેવલોકમાંથી આવીને કોલ્લાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળો કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસકત્. દ્રવ્ય ઉપાર્જનમાં તત્પર અને પાપાચારમાં પૂર્ણ રૂચિ ધરાવનાર કૌશિક બ્રાહ્મણ ત્રિદંડી થઈને મૃત્યુ પામ્યો. ત્યાર પછી ઘણા ભવમાં ભમીને છઠ્ઠા ભવે સ્થા નગરીમાં પુષ્યમિત્ર નામનો બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈને બોતેર લાખ પૂર્વનું આયુષ્ય ભોગવીને સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો.
ત્યાંથી ચ્યવને આઠમા ભવે ચૈત્ય નામના સ્થાનમાં તે ચોસઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અન્યૂધોત નામનો બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈને મૃત્યુ પામીને ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી આવીને દશમા ભવે મંદિર નામના સ્થાનમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામનો બ્રાહ્મણ થયો. અંતે ત્રિદંડી થઈને મૃત્યુ પામ્યો અને સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવીને બારમા ભવે ગુમાલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે વિપ્ર થયો. અંતે ત્રિદંચી થઈ મૃત્યુ પામીને મહેન્દ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળો દેવતા થયો. ત્યાંથી આવીને ચૌદમાં ભવે રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળો સ્થાવર નામનો બ્રાહ્મણ થયો અંતે ત્રિદંડી (મનદડ, વચનદંડ, કાયાદંડ) થઈ મૃત્યુ પામીને પંદરમે ભાવે બ્રહ્મલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી અવીને તેણે ઘણા ભવમાં પરિભ્રમણ કર્યું.
ત્યાંથી સોળમા ભવે રાજગૃહી નગરીમાં વિશ્વનંદી નામનો રાજા હતો. તેને પ્રિયંગુ નામની રાણી હતી. પ્રિયંગુ રાણીને વિશાખાનંદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org