________________
૨૨૮
ચોવીશ તીર્થંકર
મારા પુણ્યથી આપ અતિથિ રૂપે પધાર્યા તે ઘણું ઉત્તમ થયું તો મને લાભ આપો.'
આટલું કહીને નયસારે પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિભાવપૂર્વક આહાર-પાણી મુનિઓને વહોરાવ્યા. એટલે મુનિઓ ત્યાંથી અન્ય જગ્યાએ જઈને વિધિ વડે તેનો આહાર કર્યો. ભોજન કરીને નયસાર મુનિઓની પાસે આવ્યો. નયસારે પ્રણામ કર્યા અને કહ્યું : “ભગવંત. ચાલો, હું આપને નગરનો માર્ગ બતાવું.”
પછી મુનિઓ નયસારની સાથે નગરીમાં આવ્યા. નગરી બહાર એક વૃક્ષની નીચે બેસીને સાધુઓએ નયસારને ધર્મ સંભળાવ્યો. તે સાંભળીને પોતાના આત્માને ધન્યતા અનુભવતો નયસાર સમકિત. પ્રાપ્તનો યશભાગી બન્યો. નયસાર સાધુ ભગવંતોને વાંદીને નગરમાં આવ્યો. બધા કાષ્ઠો રાજાને મોકલાવીને પોતે પોતાના ગામમાં આવ્યો.
પછી નયસાર સદા ધર્મનો અભ્યાસ કરવા લાગ્યો. સાત તત્ત્વને ચિતવતો અને સમકિતને પાળતો સમય પસાર કરવા લાગ્યા.
આ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કારનું સ્મરણ કરીને સૌ ધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળો દેવતા થયો.
ત્યાંથી અવીને ભરતક્ષેત્રમાં વિનીતા નગરીમાં શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર ભરત મહારાજાનો મરિચિ નામે પુત્ર થયો. એકવાર શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ સમવસરણમાં પિતા અને ભ્રાતાની સાથે તે મરિચિ પણ ગયો. ત્યાં દેવતાઓએ કરેલો પ્રભુનો મહિમા જઈને તથા ધર્મ સાંભળીને સમકિત પ્રાપ્ત થતાં મરિચિએ તત્કાળ ચારિત્ર ગ્રહણ કર્યું. મરિચિમુનિ સાધુઓની સાથે રહીને ધર્મઅભ્યાસ કરતા શ્રી ઋષભદેવ સ્વામીની સાથે વિહાર કરવા લાગ્યા.
આ રીતે ઘણો કાળ નિગમન થયો. એક વાર ગ્રીષ્મ ઋતુમાં પ્રભુની સાથે વિહાર કરતાં મરિચિ મુનિ તૃષાથી પિડિત થતા ચિંતવવા લાગ્યા. સાધુપણાના ગુણોને વહન કરવા હું સમર્થ નથી. હું નિગુણી અને ભવની કામના કરવાવાળો છું. પણ વ્રતનો ત્યાગ કરીને ઘેર પાછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org