________________
૨૪
: શ્રી મહાવીર સ્વામી
શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવોનું સંક્ષિપ્ત વર્ણન:
જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મહાવપ્ર વિજયમાં જયંતી નામની નગરીમાં મહારાજા શત્રુમદન નામનો રાજા રાજ કરે. બાજુમાં આવેલ પૃથ્વી પ્રતિષ્ઠાન નામની પલ્લીમાં નયસાર નામનો એક મુખી રહેતો હતો. નયસાર સાધુજનના સંબંધ વિનાનો હતો. બીજાના દોષોને જોવામાં વિમુખ તથા ગુણ ગ્રહણમાં હંમેશા તત્પર રહેતો હતો.
એક વાર રાજાની આજ્ઞાથી તે મોય કાષ્ઠો લેવા માટે કેટલાંક ગાડાં સાથે મહાઇટવીમાં ગયો. સાથે એણે ભાતાનો ડબરો રાખ્યો હતો. ગાઢ જંગલમાં વૃક્ષો છેદતા મધ્યાહ્ન સમય થયો એટલે એ સમયે નયસારના સમય જાણનારા સેવકો રસોઈ તૈયાર કરીને આવ્યા. પોતે સુધા-તૃષાથી આતુર હતો. કોઈ અતિથિ આવે તો ભોજન કરાવીને હું જમું એવું વિચારીને નયસાર આમતેમ જોવા લાગ્યો. તેવામાં દૂરથી મુનિઓને આવતા જોયા.
નયસારે વિચાર્યું કે આ સાધુઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું...
નવસારે મુનિઓને વંદન કરીને કહ્યું : “હે ભગવંત, આવી મોટી અટવીમાં તમે ક્યાંથી આવ્યા ? કારણ કે શસ્ત્રો ધારણ કરીને પણ આ અટવીમાં એકલા નીકળી શકાય તેમ નથી.'
સાધુઓએ નમ્ર સ્વરે કહ્યું : “અમે પૂર્વે અમારા સ્થાનથી સાથેની સાથે-ચાલ્યા હતા. પણ માર્ગમાં કોઈ ગામે ભિક્ષા લેવા ગયા તેવામાં સાથે ચાલ્યો ગયો. અમને ભિક્ષા મળી નહિ તેથી અમે તે સાથેની પછવાડે ચાલ્યા પણ તે સાથે તો મળ્યો નહિ અને આ અટવીમાં આવી ચડ્યા...'
નયસારે કહ્યું : “અરે....સાથે કેવો નિર્દય... પોતાના સ્વાર્થમાં જ નિષ્ફર બનીને સાધુઓને લીધા વગર ચાલ્યો ગયો... પરંતુ આ વનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org