________________
૨૨૬
ચોવીશ તીર્થંકર
પ્રભુની પાસે રહીને સેવા કરવા લાગ્યા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પૃથ્વી પર વિહાર કરીને સંસારની અસારતાનું રહસ્ય સમજાવ્યું. વિહાર કરતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોળ હજાર મહાત્મા સાધુઓ. આડત્રીસ હજાર પીઓ. ત્રણસો અને પચાસ ચૌદ પૂર્વધારી અને એક હજાર ચારસો અવધિજ્ઞાની, સાડા સાતસો મનઃ પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગિયારસો વૈક્રિય લબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ ચોસઠ હજાર શ્રાવકો. ત્રણ લાખ સત્યોતેર હજાર શ્રાવિકાઓ આ પ્રમાણે કેવળ જ્ઞાનના દિવસ પછી પ્રભુનો પરિવાર થયો.
પોતાનો નિવણ સમય નજીક જાણીને શ્રી પાર્શ્વનાથ પ્રભુ સમેતશિખર પર્વત પર પધાર્યા.
ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ બીજા તેત્રીસ મુનિઓની સાથે અનસન ગ્રહણ કર્યું. પ્રાંતે શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ વિશાખા નક્ષત્રમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુએ તેત્રીસ મુનિઓ સાથે મુક્તિ પદ પ્રાપ્ત કર્યું.
શ્રી પાર્શ્વનાથ પ્રભુએ ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાળવામાં સીત્તેર વર્ષ એ રીતે સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
શ્રી નેમિનાથ પ્રભુના નિવણ પછી વ્યાશી હજાર, સાતસો અને પચાસ વર્ષ પસાર થયા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org