________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
જેવા બીજા ત્રણ પ્રતિબિંબો વિક્ર્વ્યા.
ચારે નિકાયના દેવો, દેવીઓ, નર-નારીઓ, સાધુ, સાધ્વીઓ એમ બારેય પર્ષદા પ્રભુને નમન કરીને પોતપોતાના સ્થાને બેઠા,
મહારાજા અશ્વસેન અને વામાદેવીને સમાચાર મળ્યા કે શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે આથી રાજપિરવાર સાથે સમવસરણમાં આવ્યા અને યોગ્ય સ્થળે બેઠક ગ્રહણ કરી.
૨૨૫
શ્રી પાર્શ્વનાથ ભગવંતે દેશના આપી અને અસાર સંસારનું રહસ્ય સમજાવ્યું, ધર્મ જ ભવભ્રમણના ફેરામાંથી તારી શકે છે તે વાત સૌને સમજાવી.
પ્રભુની દેશના સાંભળીને અનેક ભવ્ય જીવોએ પ્રવજ્યા અંગીકાર કરી. અશ્વસેન રાજાએ તત્કાળ પોતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્યનો કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. વામાદેવી તથા પ્રભાવતીએ પણ પ્રવજ્યાનો માર્ગ ધારણ કર્યો.
પ્રભુને આર્યદત્ત સહિત ગણધરો થયા. પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી.
તે ત્રિપદી સાંભળવાથી તેમણે સઘ દ્વાદશાંગીની રચના કરી.
પ્રથમ પૌરુષી પૂરી થઈ એટલે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દેશના સમાપ્ત કરી. બીજી પૌરુષીમાં આર્યદત્ત ગણધરે દેશના આપી. ત્યારબાદ શક્રેન્દ્ર દેવતાઓ સહિત મનુષ્યો પ્રભુને વંદન કરીને પોતપોતાના સ્થાને ગયા.
પાર્શ્વનાથના તીર્થમાં કાચબાના વાહનાવાળો, કૃષ્ણ વર્ણ ધરનારો, હસ્તિ જેવા મુખવાળો નાગની ફ્સાના છત્રથી શોભતો, ચાર ભુજાવાળો, બે વામ ભુજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભૂજામાં બિજોરૂ અને સર્પ ધારણ કરનારો પાર્શ્વ નામે યક્ષ શાસનદેવતા થયો.
કુર્કટ જાતિના સર્પના વાહનવાળી, સુવર્ણના વર્ણ જેવી, બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાશ તથા બે વામ ભુજામાં ફળ અને અંકુશ ધરનારી પદ્માવતી નામે યક્ષિણી શાસનદેવી થઈ. તે બન્ને શાસનદેવતા નિરંતર
ચો. તી. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org