SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ચોવીશ તીર્થંકર પોતાનો પરાજય દેખાયો, મેઘમાળીને થયું કે પોતાની તમામ શક્તિ પ્રભુના પ્રભાવ પાસે ક્ષીણ થઈ ગઈ છે. પ્રભુ એક મુષ્ટિથી પર્વતને પણ ચૂર્ણ કરવા સમર્થ છે. પણ કરુણાનિધિ હોવાથી મને ભસ્મ કરતા નથી. પરંતુ મને તો આ ધરણેન્દ્રનો ભય લાગે છે. શું કરું...? હા...જો આ પ્રભુનું શરણ મળે તો જ હું ઊગરી શકીશ અને મારું હિત એમાં જ સમાયેલું છે. આમ વિચારીને મેઘમાળી પ્રભુની પાસે આવ્યો અને ભાવભય વંદન કરીને બોલ્યો : “પ્રભુ, આપ તો અપકારીજન પર ક્રોધ કરતા નથી. આપ મારા પર કૃપા વરસાવીને મારા તમામ અપરાધોની ક્ષમા આપો.. મારી રક્ષા કરો...' આ પ્રમાણે કહીને પ્રભુને ખમાવી, વંદન કરીને મેઘમાળી દેવ પશ્ચાત્તાપ કરતો પોતાના સ્થાને ગયો. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઉપસર્ગ રહિત જાણીને નાગરાજ ધરણેન્દ્ર સ્તુતિ અને વંદન કરીને પોતાના સ્થાનકે ગયા. આ તરફ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ આગળ ઉપર વિહાર કર્યો. વિહાર કરતા કરતાં તેઓ વારાણસીની નજદિક આવ્યા અને આશ્રમપદ નામના ઉદ્યાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાયોત્સર્ગે રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ચોરાસી દિવસો પસાર થયે શુભ ધ્યાનથી શ્રી પાર્શ્વપ્રભુના ઘાતકમ નષ્ટ થયાં. અને ચૈત્રમાસની કૃષ્ણ ચતુર્થીએ શ્રી પાર્શ્વપ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયે શક્રેન્દ્ર વગેરે દેવતાઓએ આસન કંપથી આ હકીકત જાણી તરત જ ત્યાં આવીને સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ ધારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. સમવસરણની વચ્ચે આવેલાં સતાવીશ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી પછી “તીર્થાય નમઃ' એમ કહીને શ્રી પાર્શ્વપ્રભુએ પૂવૉભિમુખે ઉત્તમ એવા રત્નસિંહાસન પર બિરાજમાન થયા. વ્યંતરોએ બીજા ત્રણેય દિશાઓમાં પ્રભુના પ્રભાવથી પ્રભુની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy