________________
શ્રી મહાવીર સ્વામી
૨૨૯
ફરી શકાય તેમ નથી. તેથી વ્રત પણ રહે અને શરીરને શ્રમ પણ ન પડે તેવો મન કલ્પિત વેશ ધારણ કરીને પ્રભુ સાથે વિચારવા લાગ્યા.
મરિચિ મુનિનો નવીન પ્રકારનો વેષ જોઈને બધા લોકો તેને ધર્મ પૂછતા હતા, ત્યારે તેઓ શ્રી જિનોએ કહેલા સાધુ ધર્મને કહેતા. લોકો તેને પુનઃ પૂછતા કે તમે તેવા સાધુ ધર્મને કેમ આચરતા નથી? જ્યારે મરિચિ મુનિ જણાવતા કે તેવા સાધુ ધર્મને વહન કરવા હું સમર્થ નથી.
પોતાના કરેલા ધર્મના વ્યાખ્યાનથી પ્રતિબોધ પામી જે ભવ્યજનો સાધુ થવા ઇચ્છતા હતા તેને મરિચિ શ્રી ઋષભદેવ સ્વામીને સોંપી દેતા હતા.
એકવાર શ્રી ઋષભદેવ સ્વામી વિનીતા નગરી સમીપે આવીને સમોસર્યા. ત્યાં ભરત ચક્રવર્તીએ પ્રભુ પાસે ભાવી અરિહંતાદિ સંબંધિત પ્રશ્ન કર્યો.
ત્યારે પ્રભુએ ભવિષ્યમાં થનારા અહત ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ કહી બતાવ્યા.
ભરત ચક્રવર્તીએ પ્રભુને પૂછ્યું : “હે ભગવંત, આ સભામાં આપની જેમ આ ભરતક્ષેત્રમાં આ ચોવીશીમાં તીર્થંકર થનાર કોઈ ભવ્ય જન છે?”
તે વખતે પ્રભુએ મરિચિને બતાવીને બોલ્યા : “આ તારો પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે છેલ્લા તીર્થંકર થશે. તેમજ પોતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ તથા વિદેહ ક્ષેત્રમાં મુકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થશે..'
શ્રી ઋષભદેવ સ્વામીની વાણી સાંભળીને ભરત ચક્રવર્તી પ્રભુની આજ્ઞા મેળવીને મરિચિ પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને તેમને વંદના કરી.
પછી ભરતચક્રીએ કહ્યું: “શ્રી ઋષભદેવ સ્વામીના કથન મુજબ તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશો, પોતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશો તથા વિદેહક્ષેત્રના મુકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશો. તમે સંન્યાસી છો તેથી હું તમને વાંદતો નથી પણ ભાવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org