________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
૨૨૧
સરોવરને જોઈ રહ્યા હતા. જળતરંગો જોઈને પાર્શ્વકુમારે પ્રભાવતીને કહ્યું: “આયુષ્ય એ પણ જળના તરંગ જેવું અનિશ્ચિત અને ક્ષણિક છે.'
પ્રભાવતી પાર્શ્વકુમારના મુખને ક્યાંય સુધી નિહાળતી જ રહી. પ્રભાવતીને થયું કે સ્વામીને હવે સંસારના કોઈ પણ સાધનો પ્રત્યે જરાપણ રૂચિ નથી. તેઓ સંસારમાં હોવા છતાં નથી. એમની વાણી, વિચાર અને વર્તનમાં સમતાભાવ જ છે.
થોડા દિવસો પસાર થયા પછી લોકાંતિક દેવતાઓએ પાર્શ્વનાથને વિનંતી કરી કે હે નાથ. તીર્થને પ્રવર્તાવો...'
પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા ગ્રહણની તૈયારી કરી.
એક વરરા સુધી પાર્શ્વનાથ પ્રભુએ કુબેરની આજ્ઞાની ભક દેવતાઓએ પૂરેલાં દ્રવ્ય વડે દાન આપવા માંડ્યું.
અને શક્રાદિક ઇન્દ્રોએ તથા રાજા અશ્વસેન વગેરે અન્ય રાજાઓએ પરમપ્રભુ શ્રી પાર્શ્વનાથનો દીક્ષાભિષેક કર્યો.
પાર્શ્વકુમાર સંસારી મટીને સમભાવના સાધક બન્યા.
આત્મકલ્યાણ માટે સમભાવની સાધના અનિવાર્ય છે. જો સમભાવ નથી તો સમતા નથી. જો સમતા નથી તો શાંતિ નથી. અને જો શાંતિ નથી તો પરમ આનંદની અનુભૂતિ નથી.
દેવ અને માનવોએ વહન કરવા યોગ્ય એવી વિશાલા નામની શિબિકામાં બેસીને આશ્રમપદ નામના ઉધાન નજીક આવ્યા. શ્રી પાર્શ્વનાથે ઉધાનમાં પ્રવેશ કર્યો. ત્રીસ વર્ષની વયવાળા પાર્શ્વનાથ પ્રભુએ શિબિકા પરથી ઊતરીને આભૂષણોનો ત્યાગ કર્યો.
શ્રી પાર્શ્વનાથે ઈન્દ્રએ આપેલું દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું.
પોષ વદી અગિયારસના દિવસે શ્રી પાશ્વનાથ પ્રભુએ અઠ્ઠમ તપની આરાધના કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી.
પાર્શ્વનાથ પ્રભુને તરત જ મનપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પ્રકારનું જ્ઞાન સર્વ તીર્થકરોને દીક્ષા મહોત્સવ વખતે ઉત્પન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org