SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર પછી ત્રિવિધ જ્ઞાનધારી પાર્શ્વકુમારે ઉપયોગ દેતાં અગ્નિના કુંડમાં કાષ્ઠના અંતર ભાગે રહેલા એક મોટા સર્પને બળતો જોયો. તેથી કરુણાનિધિ પાર્શ્વકુમાર બોલ્યા : ‘ઓહ...! આ તે કેવું અજ્ઞાન...! જે તપમાં દયા નથી તે તપ જ નથી. દયા વિના ધર્મ પણ કેવો ?’ ૨૨૦ ત્યારે કમઠે કહ્યું : ‘રાજપુત્રો તો હાથી-ઘોડા વગેરે ખેલાવી જાણે અને ધર્મ તો અમારા જેવા મુનિઓ જ જાણે...!’ કમઠની વાણીમાં ગર્વનો નશો રમતો હતો. કમઠના અભિમાનથી ભરેલા શબ્દો સાંભળીને તત્કાળ પોતાના સેવકને આજ્ઞા કરી : આ કુંડમાંથી આ કાષ્ઠ ખેંચી કાઢો. અને તેને યતનાથી ફાડો જેથી આ તાપસને ખાતરી થાય...’ તરત જ સેવકોએ પાર્શ્વકુમારે કહ્યું તે પ્રમાણે કર્યું, કાષ્ઠમાંથી એક મોટો સર્પ નીકળ્યો. પછી જરા બળેલા તે સર્પને પાર્શ્વકુમારે બીજા પુરુષો પાસે નવકાર મંત્ર સંભળાવ્યો. અને પચખ્ખાણ અપાવ્યા. તે સમાધિવાળા નાગે પણ પાર્શ્વકુમારની કૃપાદૃષ્ટિથી સિંચાતા શુદ્ધ બુદ્ધિએ તે નવકાર સાંભળ્યો. અને પચખ્ખાણ ગ્રહણ કર્યાં. એ પછી તરત જ આયુ પૂર્ણ થવાથી નવકાર મંત્રના પ્રભાવથી તેમજ પાર્શ્વપ્રભુના દર્શનથી મૃત્યુ પામીને તે નાગ ધરણ નામે નાગરાજ થયો. ત્યાં ઊભેલા નગરજનો આ ઘટનાથી અવાક્ બની ગયા અને અરસપરસ બોલવા લાગ્યા પાર્શ્વકુમારનું જ્ઞાન અને વિવેક અસાધારણ છે.' : લોકો તરત જ પોતાના સ્થાને જવા વિદાય થયા. આ તરફ આ બનાવથી કમઠનું અભિમાન ઘવાયું. કમઠ તાપસે વિશેષ કષ્ટકારી તપ કરવા માંડ્યું. પરંતુ મિથ્યાત્વીને અત્યંત કષ્ટ ભોગવ્યા છતાં જ્ઞાન ક્યાંથી હોય...? અનુક્રમે કમઠ તાપસ મૃત્યુ પામીને ભુવનવાસી દેવોની મેઘકુમાર નિકાયમાં મેઘમાળી નામે દેવતા થયો. પાર્શ્વકુમાર અને પ્રભાવતી એક દિવસ સંધ્યા સમયે ઉદ્યાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy