SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૧૯ નથી.” તો પછી આટલા બધા લોકો હાથમાં ફૂલની છાબડીઓ લઈને નગર બહાર કેમ જાય છે?” પાર્શ્વકુમારે પ્રશ્ન કર્યો. “અન્નદાતા, આવું તો હમણાં કેટલાક દિવસોથી ચાલે છે. પેલા જોગીના દર્શન માટે લોકો ઘેલા બન્યા છે. સેવકે પોતાની જાણ મુજબ ઉત્તર આપ્યો. પેલો એટલે કયો જોગી...?” પાર્શ્વકુમારને વધુ જાણવાની ઇચ્છા થઈ. કપાળ, કમઠ નામનો એક જટાળો જોગી કેટલાક દિવસથી આપણા નગર બહાર આવેલો છે. તે બહુ તપસ્વી છે. અને ચમત્કારી પણ છે. તેથી લોકો તેના દર્શન માટે પડાપડી કરે છે.' સેવકે જોગીની ઓળખાણ આપી. એ જોગી ચમત્કારી છે, એમ તેં શી રીતે જાણું ?” પાર્શ્વકુમારે ફરીને પ્રશ્ન કર્યો. કૃપાળુ, મેં પોતે તો કોઈ ચમત્કાર જોયો નથી પરંતુ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણા ચમત્કારો કરી બતાવ્યા છે. અનેકના રોગ મટાડ્યા છે. અનેકના સંસારમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે. જે લોકોને લક્ષ્મીની કામના હતી તેઓની ઇચ્છા પણ પૂરી કરી છે. સંતાનવિહિનોને સંતાન થાય તેવા આશીર્વાદ આપ્યા છે.' ત્યારે તો કલ્પવૃક્ષ પોતે જ સામે ચાલીને અહીં આવ્યું છે. એમ જ ને...?” પાર્શ્વકુમારે જરા સ્મિત કરતાં કહ્યું. હા...મહારાજ, લોકો તો એવી જ ભ્રમણામાં છે.' ‘ત્યારે તો આપણે તે કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે... આમ કહીને પાર્શ્વકુમારે કમઠની પાસે જવાની તૈયારી આરંભી. પાર્શ્વકુમાર થોડા સેવકો સાથે કમઠના સ્થાને ગયા. ત્યાં કમઠને પંચાગ્નિ તપ કરતો જોવામાં આવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy