________________
૨૧૮
ચોવીશ તીર્થંકર
બધી વાત સાંભળી પછી પાર્શ્વકુમારે કહ્યું: “પિતાજી, આપ તો જાણો છો કે મને સંસારના કોઈ પણ વૈભવવિલાસમાં રુચિ નથી. હું તો મહાપ્રયત્ને મળેલા આ માનવભવને સાર્થક કરવાની કામના સેવું છું.'
પાર્શ્વકુમારની વાત સાંભળીને રાજા અશ્વસેને કહ્યું : “કુમાર, તમારી મનોવૃત્તિને ધન્ય છે. પરંતુ અમારા આનંદ અને સંતોષ ખાતર એકવાર રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી સાથે વિવાહ કરો. અને યોગ્ય અવસરે ઉચિત લાગે તેમ કરજો...”
અને..
| પિતાની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને પાર્શ્વકુમારે પ્રભાવતી સાથે વિવાહ કર્યા.
પાર્શ્વકુમારનો વિવાહોત્સવ નગરીમાં ભવ્ય રીતે ઉજવાયો. નગરીમાં દાનની સરિતા વહેવડાવવામાં આવી. એક વર્ષ સુધી લોકોના કર માફ કરવામાં આવ્યા.
આમ છેવટે પ્રભાવતીનો મનોરથ પૂરો થયો હોવાથી એના હર્ષનો પાર નહોતો.
આ તરફ મહારાજા અશ્વસેન અને મહાદેવી વામાદેવી પુત્રને વિવાહિત થયેલો જોઈને આનંદિત બન્યાં હતાં.
પાર્શ્વકુમાર અને પ્રભાવતીના દિવસો આનંદથી પસાર થવા લાગ્યા.
એક દિવસ પાર્શ્વકુમાર ભવનના ઝરુખે બેસીને કાશી નગરીના રાજમાર્ગને જોઈ રહ્યા હતા. પાર્શ્વકુમારને આજે કંઈક આશ્ચર્ય ઉત્પન્ન થયું કે રાજમાર્ગ પરથી લોકોનાં ટોળેટોળાં ફૂલની છાબડી લઈને ક્યાં જઈ રહ્યાં હશે?
પાર્શ્વકુમારે તરત જ એક સેવકને બોલાવીને પૂછ્યું : “આજે કોઈ ઉત્સવ છે કે જેથી લોકો ઘણા અલંકારો ધારણ કરીને નગર બહાર જાય છે?”
કુમારશ્રી, આજ કોઈ ખાસ મહોત્સવ હોય તેવું યાદ આવતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org