________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
૨૧૫
દૂત, આ સુભટ્ટોની વાતોમાં ધ્યાન આપતો નહિ. કારણ કે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છો. અમે બધા પાર્શ્વકુમાર પાસે ક્ષમાયાચના માગવા થોડી વારમાં આવીએ છીએ.' આટલું કહીને વૃદ્ધ મંત્રીએ પાર્શ્વકુમારના દૂતને સમજાવી, સત્કારીને રવાના કર્યો.
ત્યારબાદ હિતકામી મંત્રી સીધો યવનરાજ પાસે ગયો અને એણે મહારાજા સાથે વાતો કરતાં જણાવ્યું : “મહારાજ, આપ વગર વિચાર્યું જે પગલું ભરવા તૈયાર થયા હતા એનું પરિણામ શું આવત એનો અંદાજ આપને નથી. આપ પાર્શ્વકુમાર પાસે સત્વર જઈને એમનો આશ્રય ગ્રહણ કરો. જેનું સુતિકા કર્મ દેવીઓએ કરેલું છે. જેનું ધાત્રી કર્મ પણ દેવીઓએ કરેલું છે. જેનું જન્મસ્નાત્ર અનેક દેવો સહિત ઈન્દ્રોએ કરેલું છે. અને દેવો સહિત ઈન્દ્રો પોતે જેના સેવક થઈને રહે છે એની સામે આપ હુંકાર કરીને પડકાર ફેંકો છો...? આપ અત્યારે જ પાર્શ્વનાથકુમારના શરણે જાઓ અને વિશ્વને શાસન કરનાર તે પાર્શ્વનાથ સ્વામીના શાસનને ગ્રહણ કરો.'
વૃદ્ધ મંત્રીના શબ્દોની રાજા યવનરાજના મનમાં ઊંડી અસર થઈ. થોડી વાર વિચાર કરીને રાજા યવનરાજે કહ્યું : “મંત્રીવર, આપે મને યોગ્ય સલાહ આપીને અપકૃત્ય કરતાં બચાવી લીધો છે.'
અને રાજા યવનરાજ તથા એમનું સૌન્યદળ પાર્શ્વકુમાર પાસે જવા વિદાય થયું.
રાજા યવનરાજે કંઠમાં કુહાડો બાંધીને જ્યાં પાર્શ્વકુમારનો પડાવ હતો તે ભણી સૈન્ય સહિત નીકળી પડ્યા.
રાજા યવનરાજ સીધો પાર્શ્વકુમારને મળ્યો.
રાજા યવનરાજે પાર્શ્વકુમાર સામે જોઈને કહ્યું : “પાર્શ્વકુમાર, મારા મુખેથી બોલાયેલા શબ્દો પ્રતિ લક્ષ આપતા નહિ એ માટે હું ઘણો દિલગીર છું. આજે હું મૈત્રીની માગણી કરવા સામેથી આવ્યો છું. માટે મારી ભાવનાને સત્કારો. આપની આજ્ઞા થતાં હું મારા સૈન્ય સહિત કલિંગ પાછો ચાલ્યો જઈશ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org