________________
૨૧૪
જાણીબુઝીને સિંહને છંછેડવામાં સાર નથી...'
.
દૂતે ફરીથી કહ્યું : · યવનરાજ, પાર્શ્વકુમારે આપના પર દયાભાવ રાખીને મને સમજાવવા માટે મોકલ્યો છે. કંઈ અશક્તપણાથી મોકલ્યો નથી. જો આપ એમની આજ્ઞાનું પાલન કરશો તો કુશસ્થળના રાજાનું રક્ષણ કરવા આવ્યા છે તે રીતે આપને પણ મારવા ઇચ્છતા નથી. ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર સામે વિજય પ્રાપ્ત કરવો અશક્ય છે...’
ચોવીશ તીર્થંકર
પાર્શ્વકુમારના દૂત, વિજયની વરમાળા કોણ ધારણ કરે છે એની તો યુદ્ધની ભૂમિ પર પારખું થઈ જશે. ખોટી ડંફાશો મારવાનો કશો અર્થ નથી...’ યવનરાજે કહ્યું.
ત્યાં તો યવનરાજના સૈનિકો પોતાનાં શસ્ત્રો સાથે ઊભા થઈ ગયા અને ઉચ્ચ સ્વરે બોલી ઊઠ્યા : ‘અરે અધમ દૂત...! તું આવા શબ્દો બોલીને તારા સ્વામી સાથે દ્રોહ કરી રહ્યો છે. તને હજુ અમારા મહારાજાનો પરિચય લાગતો નથી. માત્ર વાતો કરવાથી વિજય મળી જતો નથી સમજ્યો ?”
પાર્શ્વકુમારનો દૂત યવનરાજના સૈનિકોને ઉત્તર આપે તે પહેલાં યવનરાજનો એક વૃદ્ધ મંત્રી બોલી ઊઠ્યો : ‘આ દૂત પોતાના સ્વામીનો વૈરી નથી. તમે એના કથનનો વિચાર તો કરો...! ક્રોધ અને આવેશમાં વાસ્તવિકતાને શા માટે વિસારે મૂકી દો છો ? પાકુમારની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવું હિતકર નથી કારણ કે પાર્શ્વકુમારના ચોસઠ ઇન્દ્રો તત્કાળ ઉપસ્થિત થઈ જશે ત્યારે તમારી શક્તિ કે તાકાત નષ્ટ થઈ જશે. આવેશનો ત્યાગ કરીને પાર્શ્વકુમારની શક્તિને નમવામાં જ સાર
છે.
આટલું કહીને વૃદ્ધ મંત્રીએ પાર્શ્વકુમારની શક્તિ અને વીરતાની વાતો કરી. વૃદ્ધ મંત્રીની વાતો સાંભળીને યવનરાજના તમામ સૈનિકોની જાણે તાકાત હણાઈ ગઈ ન હોય ! તેવું વાતાવરણ સર્જાઈ ગયું. તમામ સૈનિકો ભય પામીને શાંત બની ગયા.
વૃદ્ધ મંત્રીએ પાર્શ્વકુમારના દૂતનો હાથ પકડીને કહ્યું : વિદ્વાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org