SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ સ્વામી ૨૧૩ અને સૂર્યના જેવા તેજથી પાર્શ્વકુમાર આકાશગામી રથ વડે ખેચરોથી સ્તુતિ કરતા આગળ ચાલ્યા. થોડા દિવસો બાદ પાર્શ્વકુમાર પોતાના સૈન્ય સાથે કુશસ્થળની સમીપે આવીને પડાવ નાખ્યો. - પાર્શ્વકુમારના નિરીક્ષકોએ સમાચાર આપ્યા : પાશ્વકુમાર, યવનરાજની સેના અહીંથી એક પડાવ જેટલી જ દૂર છે.' યવનરાજની સેના કેટલી મોટી છે ?” પાર્શ્વકુમારે નિરીક્ષકોને પ્રશ્ન કર્યો. મહારાજ, યવનરાજની સેના વિશાળ છે પણ તે આપણા સૈન્ય સામે ઝીક ઝીલે તેવું લાગતું નથી.” બીજે દિવસે પ્રાતઃકાળની પ્રથમ ઘટિકા બાદ પાકુમારે એક દૂતને બધી વાતની સમજ આપીને યવનરાજ ભણી રવાના કર્યો. પાર્શ્વકુમારના દૂતે યવનરાજ પાસે આવીને નમ્ર સ્વરે કહ્યું : “હે રાજન, વારાણસીના મહારાજ-કુમાર શ્રી પાર્શ્વ આપને મારા મારફત જણાવે છે કે પ્રસેનિજત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે . માટે આપે તેમની સાથે યુદ્ધ કરવાનો મનસૂબો ઘડ્યો છે તેનો ત્યાગ કરી દો. મહારાજા, અશ્વસેન યુદ્ધ અર્થે આવવાના હતા પરંતુ એમને રોકીને પાર્શ્વકુમાર આવેલા છે જો આપ આપનું ભલું ઇચ્છતા હો તો તત્કાળ તમારા રાજ્યમાં ચાલ્યા જાઓ. એમાં જ આપનું હિત સચવાવેલું છે. જો આપ ચાલ્યા જશો તો આપના અપરાધને ક્ષમા આપવામાં આવશે.” દૂતના શબ્દોથી યવનરાજનો ચહેરો લાલઘુમ થઈ ગયો અને ક્રોધ ઠાલવીને કહ્યું : “અરે દૂત..! આ તું શું બોલે છે ? તું મારી તાકાતને ઓળખતો નથી ? પાર્શ્વકુમાર તો બાળક છે. એને યુદ્ધના પરિણામની શી ખબર હોય? અરે એના પિતા પણ યુદ્ધ લડવા આવ્યા હોય તો પણ તેઓ પરાજય પામીને જ પાછા વળ્યા હોત. પાર્શ્વકુમાર મારી તાકાતથી અપરિચિત જણાય છે. તું તારા મહારાજ કુમાર પાસે જા અને કહી દે કે અહીંથી પાછા ચાલ્યા જવામાં જ ડહાપણ રહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy