________________
૨૧૨
પ્રસેનજીતને મદદ કરવા જવું જોઈએ.'
પાર્શ્વકુમાર મધુર સ્વરે કહ્યું : “પિતાજી, યુદ્ધમાં આપને કોઈ દેવ કે અસુર પજિત કરી શકે તેમ નથી, ત્યારે મનુષ્ય એવા યવનની કિંમત કેટલી ? પરંતુ એની સામે આપને જવાની જરૂર નથી. હું જ ત્યાં જઈશ અને બીજાની શક્તિને નહિ પારખનારને યોગ્ય શિક્ષા કરીશ.’
ચોવીશ તીર્થંકર
રાજાએ કહ્યું : “પાર્શ્વકુમાર, આ યુદ્ધ એ ક્રીડોત્સવ નથી. તેમ જ તું યુદ્ધભૂમિ પર જા એવી મારા મનમાં ઇચ્છા પણ નથી. હું જાણું છું કે મારા કુમારનું ભુજબળ ત્રણ જગતનો વિજય કરવાને સમર્થ છે. પરંતુ તું ઘરમાં ક્રીડા કરે તે જોવાથી મને હર્ષ થાય છે.
રાજાએ અશ્વસેનના ઉત્તરથી પાર્શ્વકુમાર કહ્યું : “પિતાજી, યુદ્ધ કરવું એ પણ ક્રીડારૂપ જ તેમાં મને જરા પણ મુશ્કેલી પડવાની નથી. આપ અહીં જ રહો અને મને યુદ્ધભૂમિએ જવાની આજ્ઞા આપો.’
પાર્શ્વકુમારના અતિ આગ્રહ પર વિવશ થઈને રાજા અશ્વસેને ન છૂટકે પુત્રને યુદ્ધભૂમિએ જવાની આજ્ઞા આપી. પાર્શ્વકુમાર પિતાને જણાવી દીધું કે પોતે કુશળતાપૂર્વક આ પ્રશ્નનો ઉકેલ લાવશે.
યુદ્ધ અને સંહારની વાત પાર્શ્વકુમારને જરા પણ પસંદ ન હતી. એમ છતાં અન્યાય અને અનીતિનો મુકાબલો કરવો જોઈએ તેવી દૃઢ માન્યતા પણ હતી.. કોઈ ખોટી રીતે સત્તાના બળે બીજી પ્રજાને મદદ કરવી એ પણ એક પ્રકારનો ધર્મ છે એમ પાર્શ્વકુમાર માનતા હતા તેમ છતાં એ હેતુને વગર યુદ્ધે સિદ્ધ કરવા તેમની તીવ્ર ઈચ્છા હતી અને એ મુજબ પાર્શ્વકુમાર વ્યૂહ રચના કરી.
પાર્શ્વકુમાર શુભ મુહૂર્તે હાથી પર બેસીને પુરૂષોત્તમની સાથે મોટા લશ્કર અને શસ્ત્રસરંજામ સહિત કુશસ્થળ જવા પ્રયાણ કર્યું. પાર્શ્વકુમારની સહાય અર્થે ઇન્દ્ર પોતાના સારથિને મોકલ્યો. પૃથ્વીને સ્પર્શ નહિ થતાં અને વિવિધ આયુધોથી યુક્ત પાર્શ્વકુમાર ઈન્દ્રના સારથીના અતિઆગ્રહને વશ થઈને મહારથમાં આરૂઢ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org