________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
૨૧૧
તે કુશસ્થળનો રાજા કોણ છે કે જે મને પ્રભાવતીની સોંપણી ન કરે ! કુશસ્થળનો રાજા સરળતાથી નહિ સમજે તો વીરત્વ બતાવવું પડશે.'
કલિંગનો રાજા યવન પોતાના વિશાળ સૈન્ય સાથે કુશસ્થળ આવી પહોંચ્યો અને કુશસ્થળનો ફરતો ઘેરો નાખ્યો.
આવનાર પુરુષે પોતાની વાત પૂરી કરતાં છેવટે જણાવ્યું ? મહારાજ, અત્યારે કુશસ્થળ કલિંગની સેનાથી ઘેરાયેલું છે. હું અમારા રાજાની આજ્ઞાથી તે નગરમાંથી અડધી રાતે ગુપ્તવેશ ધારણ કરીને નીકળ્યો છું. હું સાગરદત્તનો પુત્ર પુરુષોત્તમ છું અને મહારાજા પ્રસેનજીતનો પ્રિય મિત્ર છું. મહારાજ, હવે સ્વજન અને શત્રુજનના સંબંધમાં આપને જે યોગ્ય લાગતું હોય તેમ કરો.”
પુરુષોત્તમે પોતાની વાત પૂરી કરીને મહારાજા અશ્વસેનની સામે જોયું.
અશ્વસેન પુરૂષોત્તમની વાત સાંભળતાં જ ક્રોધિત બની ઊઠ્યાઃ
“અરે ! આ યવન કોણ છે ? હું હોવા છતાં રાજા પ્રસેનજીતને જરાયે ભય કેળવવાની જરૂર નથી. કુશસ્થળની રક્ષા કાજે મારું સૈન્ય અત્યારે જ રવાના થશે અને યવનની સેનાના દાંત ખાટા કરી દેશે...”
આટલું કહીને રાજા અશ્વસેને તરત જ રણથંભાનો નાદ કરાવ્યો. રણથંભાના નાદથી સૈન્ય એકઠું થઈ ગયું.
આ સમયે ક્રીડાગૃહમાં રમતા પાકુમારે રણથંભાનો નાદ સાંભળીને આશ્ચર્ય ઉપજ્યુ તેઓ તરત જ પિતા પાસે આવ્યા. એ સમયે રાજા અશ્વસેન સૈન્ય સાથે જવાની તૈયારી કરી રહ્યા હતા.
પાશ્વકુમાર પિતાને વિનયભાઈ સ્વરે કહ્યું : “પિતાજી, આપ સૈન્ય સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છો ? આપની સામે યુદ્ધ કરવા કોણ તૈયાર થયું છે. દુશ્મનોને આપની શક્તિનો અંદાજ લાગતો નથી...!'
રાજા અશ્વસેને કહ્યું : “પાર્શ્વકુમાર, કુશસ્થળ રાજ્યના રાજા પ્રસેનજીતના મિત્ર પુરુષોત્તમ રાજસભામાં આવીને મદદ કરવાની વાત કરી છે. યવન રાજાએ એમના નગર ફરતો ઘેરો નાખ્યો છે આથી મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org