________________
૨૧૦
ચોવીશ તીર્થંકર
છબી અંકિત થઈ હતી. ખાતાપીતાં, ઉઠતાંબેસતાં, હરતાં ફરતાં રાજકુમારી પ્રભાવતી પાર્શ્વકુમારનું જ રટણ કરવા લાગી.
જેમ અખિલાનંદનો આશક જોગી બધી જંજાળોને દૂર રાખીને એકમાત્ર પરમાત્માનું ધ્યાન ધરે છે, તેમ તે સર્વ વસ્તુઓથી વિમુખ થઈને એકમાત્ર પાર્શ્વકુમારનું ધ્યાન રાજકુમારી પ્રભાવતી ધરવા લાગી.
રાજકુમારી પ્રભાવતીને ઉત્તમ વસ્ત્રો વૈરી જેવા લાગવા માંડ્યા. સુંદર અલંકારો એને આગ જેવા આકરાં થઈ પડ્યાં.
શું સ્નાન કે શું મર્દન, શું અંગરાગ કે શું ફૂલહાર, તમામ વસ્તુઓ પ્રભાવતીને વેદના સમાન ભાસવા લાગી.
ચાંદનીભરી શીતળ રાત્રીઓ, જે આનંદ અને વિશ્રામનું સાધન છે. તે રાજકુમારી પ્રભાવતીને શોક અને સંતાપનું કારણ થઈ પડી. તેના અંતરમાંથી સઘળું સુખ ચાલ્યું ગયું. પ્રતિદિન રાજકુમારી પ્રભાવતી દુર્બળ થવા લાગી.
અને રાજકુમારી પ્રભાવતીની માનસિક હાલતનું ચિત્રણ એના માતાપિતાએ સખીઓ દ્વારા જાણી લીધું. પુત્રીની ઈચ્છાને વશ થઈને પ્રભાવતીને સ્વયંવરા તરીકે પાર્શ્વકુમાર પાસે મોકલવાનો નિર્ણય કર્યો. અને તે અંગેની સઘળી તૈયારીઓ કરવા માંડી.
આ સમાચાર જ્યારે કલિંગ સહિત અનેક રાજ્યના રાજાઓ તથા નાયકોએ જાણ્યા ત્યારે સૌના અંતરમાં ક્રોધનો દાવાનળ સળગી ઊઠ્યો. અનેક રાજાઓ પ્રભાવતીને પામવા પ્રયત્નો કરી રહ્યા હતા.
કારણકે પ્રભાવતી અનિદ્ય રૂ૫ ધરાવતી રાજકુમારી હતી. એનું લાવણ્ય અમાપ હતું. વિદ્યા અને કલાની તે ઉત્તમ જાણકાર હતી.
જ્યારે એ પ્રકારના સમાચાર વાયુવેગે ફેલાયા કે રાજકુમારી પ્રભાવતી પાર્શ્વકુમારને પરણવા માટે સામી જાય છે. આ સમાચારથી ભારે ચકચાર પેદા થઈ ગઈ. તેમાં કલિંગનો બળવાન રાજા યવને હુંકાર કરતાં કહ્યું : છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કોણ છે ? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org