________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
૨૦૯
નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથ પગ, કદલીગર્ભથી ઉરૂ, શોણમણિથી નખ, મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ લાગે છે. અનિદ્ય રૂપલાવણ્ય ધરાવતી પોતાની પુત્રી પ્રભાવતી માટે મહારાજા પ્રસેનજીત. તેણીના યોગ્ય મુરતિયા માટે ચિંતાતુર થયાં છે. એમણે અનેક રાજાઓના કુમારોની તપાસ કરી. પરંતુ કોઈ પોતાની પુત્રીને લાયક જણાયો નહિ. મહારાજા પ્રસેનજીતને થયું કે શું મારી પુત્રી માટે યોગ્ય મુરતિયો મળશે જ નહિ..! આવા વિચારો કરતાં એમનું મન ભારે ચિંતાતુર બન્યું.
એકવાર રાજકુમારી પ્રભાવતી પોતાની સખીઓ સાથે રાજભવનના ઉદ્યાનમાં આવી, ત્યાં કિન્નરોની સ્ત્રીઓના મુખેથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું : “કાશી નરેશ અશ્વસેન રાજાના પુત્ર પાર્શ્વકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીના તે સ્વામી થશે તે સ્ત્રી આ જગતમાં જયવતી છે. પાર્શ્વનાથકુમાર જેવા સ્વામી મળવા દુર્લભ સમાન છે. કારણકે એવો પુણ્યનો ઉદય ક્યાંથી હોય..?
પ્રભાવતી કિન્નરીઓના મુખેથી ગવાયેલી પાર્શ્વકુમારની પ્રશસ્તિ ભરી પંક્તિઓથી પ્રભાવિત બની. પ્રભાવતીના મનોપ્રદેશ પર પાર્શ્વકુમારના ગુણકીર્તન કરતી પંક્તિઓએ કજો જમાવી દીધો.
પ્રભાવતીએ વારંવાર પંક્તિઓ સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી, અને સાંભળી પણ ખરી. પ્રભાવતી રાજકુમારીની સખીઓને થયું કે રાજકુમારીબાનું ચિત્ત પાર્શ્વકુમાર હરી લીધું છે.
શૂન્યમનસ્ક બેઠેલી પ્રભાવતીને એની સખીઓએ ઢંઢોળી અને સૌ રાજભવને પાછા ફર્યા. કિન્નરીઓ ચાલી ગઈ હતી પરંતુ પાર્શ્વકુમારના ગુણકીર્તનની પંક્તિઓ પ્રભાવતીના ચિત્તમાં રમતી મૂકીને વિદાય થઈ હતી.
રાજકુમારી પ્રભાવતી રાજભવનમાં આવી પણ એના ચિત્તને શાંતિ નહોતી. અંતરમાં અતિ સુંદર દેહોષ્ઠવ ધરાવતાં પાર્શ્વકુમારની
ચો. તી. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org