________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
કોઈને કશી ફરિયાદ નહોતી. જ્યાં રાજ્ય સંચાલનની વ્યવસ્થા સુદૃઢપણે થતી ત્યાં પ્રશ્નો સંભવી શકતા નથી.
આજે રાજસભામાં એક વિદ્વાને જિનધર્મની કથા કહેવી શરૂ કરી. મહારાજા અશ્વસેન સહિત બધા સભાજનો કથાનું શ્રવણ કરવામાં રસમગ્ન બની ગયા.
૨૦૭
વિદ્વાને જિનધર્મની કથા સંભળાવતાં ચારની શુદ્ધિ વર્ણવી. વિદ્વાન કહે : ‘શ્રદ્ધાની શુદ્ધિ એટલે શ્રદ્ધેય વસ્તુઓ, શ્રદ્ધાવાન આત્મા અને શ્રદ્ધાના સાધનોની શુદ્ધિ.
જ્ઞાનની શુદ્ધિ એટલે શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનોની શુદ્ધિ. ક્રિયાની શુદ્ધિ એટલે ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાના સાધનોની
શુદ્ધિ.
ધ્યાનની શુદ્ધિ એટલે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની
શુદ્ધિ.
શ્રી જિનશાસનમાં શ્રદ્ધા કરવા યોગ્ય વીતરાગ દેવ, તેમને માર્ગે ચાલનારા નિગ્રંથ ગુરૂ અને તેમણે બતાવેલો શ્રુત અને ચારિત્ર સ્વરૂપ ધર્મ છે.
મહારાજા અશ્વસેન વિદ્વાનની વાણીથી પ્રભાવિત થયા હતા સભાજનો પણ રસમગ્ન બન્યા હતા.
વિદ્વાન અસ્ખલિત રીતે કથા સંભળાવી રહ્યો હતો.
સૌ કથા સાંભળવામાં તલ્લીન બન્યા હતા ત્યાં પ્રતિહાર આવ્યો અને તે સીધો મહારાજા અશ્વસેન પાસે આવ્યો.
પ્રતિહારે મહારાજાને વંદન કરીને કહ્યું : “હે નરેશ્વર, સુંદર આકૃતિ ધરાવનારો પુરૂષ રાજસભાના મુખ્ય દ્વાર પાસે ઊભો છે. એ આપની સમક્ષ કંઈક નિવેદન કરવા માગે છે. આપ આજ્ઞા આપો તો એ અહીં આવે...’
મહારાજા અશ્વસેને પ્રતિહારને કહ્યું : ‘તેને અહીં આવવા દો.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org