________________
૨૦૬
ચોવીશ તીર્થંકર
રાજસભાના મુખ્ય દ્વાર પાસે મહારાજા અશ્વસેનનો રથ ઊભો
રહ્યો.
મહારાજા અશ્વસેન પધારી રહ્યા છે. તે માટે આગમ સૂચક ધ્વનિની છડીદારે છડી દ્વારા જાણ કરી.
રાજસભામાં સૌ મહારાજાના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. પરંતુ સભાજનોને મહારાજની બહુ રાહ જોવી ન પડી. થોડી વારમાં જ મહારાજા અશ્વસેને રાજસભાના વિશાળ ખંડમાં પ્રવેશ કર્યો. ત્યારે સભાજનો એમના આસનો પરથી ઊભા થઈ ગયા અને મહારાજા અશ્વસેનનો જયનાદ પોકાય.
| સર્વ સભાજનોના મુખ પર મહારાજાના આગમનથી આનંદ, હર્ષની લાગણી પ્રવર્તતી હતી.
મહારાજા અશ્વસેન મંથર ગતિએ રાજસિંહાસન તરફ જઈ રહ્યા હતા. મહારાજા અશ્વસેન સર્વ લોકોનું અભિવાદન ઝીલતા સિંહાસન પાસે આવીને બેઠક ગ્રહણ કરી.
મહારાજા અશ્વસેનનું સિંહાસન સુવર્ણમય અનેક રત્નોથી મઢેલું અદ્વિતીય હતું. સિંહાસનના હાથા પર સુંદર નકશીકામ કરેલું હતું. તેમાં જુદા જુદા રત્નો જડવામાં આવ્યા હતા. સમગ્ર સભાખંડમાં સિંહાસનની તેજસ્વિતા, ભવ્યતા કંઈક અજબની ભાત પાડતી હતી.
મહારાજા અશ્વસેને રત્નજડિત સુવર્ણનો સુંદર નકશીવાળો રાજમુગુટ ધારણ કર્યો હતો. શુભ વસ્ત્રો ધારણ કર્યા હતા. એમના બન્ને હાથમાં બાજુબંધ શોભી ઊઠ્યા હતા. કંઠમાં મુક્તાની માળા તેમજ સુંદર અમૂલ્ય રત્નોની માળા શોભી ઊઠી હતી.
મહારાજા અશ્વસેને સિંહાસન પર આસન ગ્રહણ કર્યા પછી દરેક સભાજનો પોતપોતાની બેઠક પર બેસી ગયા. દરેકના મુખ પર સભાની કાર્યવાહી શરૂ થાય તેવા અધીરાઈનાં ચિહ્નો જણાતાં હતાં.
થોડી વારમાં રાજસભાના ખંડમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. રાજસભાની કાર્યવાહી શરૂ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org