________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
૨૦૫
કાશી નગરીમાં જ્યારે નગરજનોએ જાણ્યું કે મહારાજા અશ્વસેનને ત્યાં પુત્રજન્મ થયો છે તેથી અતિ હર્ષિત બની ઊઠ્યા અને પોતાના ભવનો શણગારવા લાગ્યા.
નગરીમાં સર્વત્ર આનંદ છવાયો હતો.
મહારાજા અશ્વસેને મંગલમય પ્રસંગની ઉજવણી ભવ્ય રીતે યોજી હતી.
જ્યારે પ્રભુ વામાદેવીના ગર્ભમાં હતા ત્યારે માતાએ એકવાર કૃષ્ણ પક્ષની રાત્રીએ પડખે થઈને એક સર્પને જતો જોયો હતો. આ વાત વામાદેવીએ મહારાજા અશ્વસેનને કરી હતી. આ વાતને સંભારીને અને એ ગર્ભનો પ્રભાવ હતો એમ નિર્ણય કરીને રાજા અશ્વસેને કુમારનું નામ પાર્થપાયું.
પાર્શ્વકુમાર.
છે આજ્ઞા કરેલી અપ્સરા રૂપ ધાત્રીઓએ લાલિત કરેલા જગત્પતિ રાજાઓને ખોળે ખોળે સંચરતા વૃદ્ધિ પામવા લાગ્યા.
દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થવા લાગ્યા. સમયને થોભ નથી. સમયનો પ્રવાહ નિરંતર ચાલ્યા જ કરે છે. પાર્શ્વકુમારે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો
પાર્શ્વકુમારે યૌવન વયમાં જાણે નીલમણિના સારથી કે નીલોત્પલની લક્ષ્મીથી બનેલા હોય તેમ કાયાની નીલ કાંતિ વડે શોભવા લાગ્યા. મોટી શાખાવાળા વૃક્ષની જેમ મોટી ભૂજાવાળા અને મોટા. તટવાળા ગિરિની જેમ વિશાળ વૃક્ષ સ્થળવાળા પ્રભુ વિશેષ શોભવા લાગ્યા.
નગરજનોમાં પાર્શ્વકુમારના રૂપ અને ગુણની જ ચર્ચા થતી હતી. પાર્શ્વકુમારનું રૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય બનશે.
એક દિવસ મહારાજા અશ્વસેન રાજસભામાં જવા માટે મહેલેથી રથમાં બેસીને વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org