________________
૨૪
ચોવીશ તીર્થંકર
ઈન્દ્ર મધુર સ્વરે પ્રભુની સ્તુતિ કરી : “પ્રિયંગુ વૃક્ષની જેવા નીલવર્ણવાળા, જગતના પ્રિય હેતભૂત અને દુસ્તર સંસારરૂપ સાગરમાં સેતુરૂપ એવા આપને હું નમસ્કાર કરું છું. જ્ઞાનરૂપી રત્નના ભંડાર સમા, વિકસિત કમળ જેવી ક્રાંતિવાળા અને ભવ્ય પ્રાણીરૂપ કમળમાં સૂર્ય જેવા હે પરમ ભગવંત હું આપને વંદના કરું છું.
ફળદાયક એવા એક હજાર અને આઠ નરલક્ષણને ધારણ કરનારા અને કર્મરૂપ અંધકારનો નાશ કરવામાં ચંદ્ર સમાન આપને મારા વંદન છે.
ત્રણ જગતમાં પવિત્ર જ્ઞાનાદિ રત્નત્રય ધારણ કરનાર કર્મરૂપ સ્થળને ખોદવામાં ખનિત્ર (ખોદવાનું હથિયાર) સમાન અને શ્રેષ્ઠ ચારિત્રના ધારક એવા આપને મારા અંતઃકરણના વંદન છે.
સર્વ અતિશયના પાત્ર, અતિ દયાવાન અને સર્વ સંપત્તિના કારણભૂત એવા હૈ પરમાત્મન્ ! આપને મારા નમસ્કાર છે. કષાયને દૂર કરનાર કરૂણાના ક્ષીર સાગર અને રાગદ્વેષથી વિમુક્ત એવા છે મોક્ષગામી પ્રભુ ! આપને મારા વંદન છે. હે પ્રભુ, જો આપના ચરણની સેવાનું ફળ હોય તો તે ફળવડે આપની ઉપર ભવોભવમાં મને ભક્તિભાવ પ્રાપ્ત થજો.
આ રીતે મધુર સ્વરે સ્તુતિ કરીને ઈદ્ર પ્રભુને લઈને વામાદેવીના પડખામાં મૂક્યા અને વામાદેવીને આપેલી અવસ્થાપિની નિદ્રા અને પાસે મૂકેલું પ્રતિબિંબ હરી લઈ ઈન્દ્ર પોતાના સ્થાનકે ચાલ્યા ગયા.
ત્યારબાદ પ્રાતઃકાળે વામાદેવીની કુક્ષિએ પુત્રજન્મ થયો છે એ સમાચાર રાજભવનમાં પ્રસરી ગયા.
રાજભવનમાં મંગલમય વાતાવરણ સર્જાઈ ગયું.
રાજભવનમાં રાજની વાઘમંડળીઓ માંગલિક સૂરો વાતાવરણમાં પ્રસરાવવા લાગ્યા.
રાજભવનમાં સૌના હૈયા હર્ષિત બની ગયા હતા. મહારાજા અશ્વસેને પુત્રજન્મનો ઉત્સવ ભવ્ય રીતે ઉજવવાનો પ્રારંભ કર્યો. કારાગારમાંથી દરેક કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org