________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
અને થોડા મહિનાઓ બાદ પોષ વદ દશમના દિવસે આકાશમાં સાતેય ગ્રહો જ્યારે ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે અનુરાધા નક્ષત્રમાં વામાદેવીએ નીલવર્ણવાળા રૂપરૂપના અંબાર સમાન પુત્રને જન્મ આપ્યો. રત્નને જેમ વિદુરગિરિની ભૂમિ પ્રસરે તે રીતે વામાદેવીએ સર્પના લાંછનવાળા નીલવર્ણી પુત્રને જન્મ આપ્યો.
તત્કાળ છપ્પન દિક્કુમારીઓએ આવીને અત્યંત પ્રભુનું તથા તેમની માતાનું સૂતિકા કર્મ કર્યું.
ત્યાર પછી. શક્રન્દ્રે ત્યાં આવીને દેવીને અવસ્વાપિની નિદ્રા આપી. તેમના પડખામાં પ્રભુનું પ્રતિબિંબ સ્થાપિત કરી, પોતે પાંચ રૂપ વિક્ર્વ્યા.
તેમાં એક રૂપે પ્રભુને લીધા.
બે રૂપે ચામર ધારણ કર્યાં.
એક રૂપે પ્રભુના ઉપર છત્ર ધારણ કર્યું.
અને એક રૂપે વજ્ર ઉછાળતાં સુંદર ચાલે ચાલતા અને વાંકી ગ્રીવાવડે પ્રભુના મુખ પર દૃષ્ટિ રાખતાં ઉતાવળે મેરૂગિરિ તરફ ચાલ્યા. ક્ષણવારમાં મેફિગરની અતિ પાંડુકબલા નામની શિલા ઉપર
પહોંચ્યા.
થયા.
૨૦૩
ત્યાં શક્રેન્દ્રદેવ પ્રભુને ઉત્સંગમાં લઈને સિંહાસન પર આરૂઢ
તે વખતે અચ્યુત વગેરે ત્રેસઠ ઇન્દ્રે પણ તત્કાળ આવી પહોંચ્યા અને તેમણે વિધિપૂર્વક પ્રભુનો જન્માભિષેક કર્યો. વાતાવરણ અતિ પ્રસન્ન હતું.
ચારે તરફ હર્ષ, ઉમંગ અને આનંદ સિવાય કશું નહોતું. સૌધર્મેન્દ્રે ઈશાનેંદ્રના ઉત્સંગમાં પ્રભુને બેસાડીને વૃષભના શૃંગમાંથી નીકળતા જળ વડે સ્નાન કરાવ્યું. ત્યાર પછી ચંદન આદિથી પ્રભુનું અર્ચન કરી, અંજલિ જોડીને ઇન્દ્રે પવિત્ર સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org