________________
૨૦૨
ચોવીશ તીર્થંકર
નિમિતશે તરત જ અંક મૂક્યા અને તે ખુશીથી નાચી ઊઠ્યો નિમિતશે ઉલ્લાસભર્યા સ્વરે કહ્યું : “કૃપાનાથ, આપ ખૂબ જ ભાગ્યવંત છો. આપને ત્યાં સુંદર પુત્રરત્નનો જન્મ થશે. મહાદેવી વામાદેવીએ જે સ્વપ્નાઓ જોયા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે મહાદેવીની કુખે ચક્રવર્તી કે તીર્થંકર પુત્રનો જન્મ થાય.'
નિમિતજ્ઞની વાણીથી મહારાજા અશ્વસેન અને મહાદેવી અત્યંત પ્રસન્ન બન્યા.
મહારાજા અશ્વસેને નિમિતજ્ઞને તરત જ અમૂલ્ય રત્નોની માળા ભેટમાં આપી.
થોડી વાર રહીને નિમિતજ્ઞ પોતાના સ્થાને ચાલ્યો ગયો. અને દિવસો પસાર થવા લાગ્યા.
વામાદેવીના અંગમાં માતૃત્વની લાગણી રમી રહી હતી. જ્યારે સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે ત્યારે સ્ત્રીના રૂપમાં તેજસ્વીતા અને પ્રસન્નતા છવાઈ જાય છે. સ્ત્રીનું રૂપ ખીલી ઊઠે છે.
સુવર્ણબાહુ રાજાનો જીવ વામાદેવીની કુક્ષિમાં પ્રવેશ્યા પછી ક્રમશઃ ગર્ભ વિકાસ પામવા લાગ્યો.
વામાદેવીના મુખ પર અનુપમ સૌંદર્ય ખીલી ઊઠ્યું. ધર્મ પ્રત્યે ઋચિ પેદા થઈ.
મહારાજા અશ્વસેન મહાદેવીની પૂરી સંભાળ લેતા હતા. તેના હૈયાને કોઈપણ પ્રકારનું દુઃખ ન પહોંચે તેની બરાબર કાળજી રાખતા હતા.
નગરીના રાજવૈદ્ય બે-ત્રણ દિવસે એકવાર રાજભવન પર આવી જઈને વામાદેવીની નાડી પરીક્ષા કરી જતાં અને પથ્યાપથ્યનું સૂચન કરતા.
વામાદેવીના અંતરમાં અન્ય પ્રત્યે સદભાવની લાગણી જન્મી, આથી મહારાજા અશ્વસેને દાનની સરિતા વહેવડાવવી શરૂ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org