________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
દશમાં સ્વપ્નમાં પદ્મ સરોવર. અગિયારમાં સમુદ્ર. બારમા સ્વપ્નમાં દેવવિમાન તેરમા સ્વપ્નમાં રત્નનો ઢગલો.
અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા વિનાનો અગ્નિ મહાદેવી વામાદેવીએ જોયો.
વામાદેવી તરત જ જાગૃત થઈ ગયાં. ત્રિપદી પર દીપકોનો. આછો પ્રકાશ ખંડને અજવાળી રહ્યો હતો. વામદેવીના મનોપ્રદેશમાં છવાયેલું સ્વપ્ન અદ્દભૂત અને આનંદકારી હતું.
વામાદેવીએ તરત જ સ્વામીને જાગૃત કર્યો. અને ચૌદ સ્વપ્નની. વાત કરી. ત્યારે રાજા અશ્વસેને કહ્યું : “પ્રાતઃકાળ પછી નિમિતજ્ઞોને રાજભવને બોલાવીને સ્વપ્નનો અર્થ તારવીશુ. સ્વપ્ન તો સર્વ શ્રેષ્ઠ છે.'
અશ્વસેન અને વામાદેવીએ વાતોમાં જ સમય પસાર કર્યો. ત્રણેક ઘટિકા પસાર થઈ ગઈ. પ્રાતઃકાળની ઝાલરી રણકી ઊઠી.
રાજા અશ્વસેન અને વામાદેવી તરત જ ખંડ બહાર નીકળીને પ્રાત:કાર્યની વિધિમાં ગૂંથાયા.
દિવસનો પ્રથમ પ્રહર પૂરો થયા પછી મહારાજા અશ્વસેને એક સેવકને નિમિતજ્ઞને બોલાવવા રવાના કર્યો. થોડી વારમાં નિમિતજ્ઞા આવી પહોંચ્યો.
નિમિતજ્ઞ સીધો મહારાજા અશ્વસેન અને મહાદેવી વામાદેવીની પાસે આવી પહોંચ્યો.
મહારાજા અશ્વસેને કહ્યું : “નિમિતજ્ઞજી, મહાદેવને અડધી રાતે ચૌદ સ્વપ્ન આવ્યાં હતાં. આપ અંક મૂકીને એનું ફળ કહો.'
આટલું કહીને રાજા અશ્વસેને તરત જ ચૌદ સ્વપ્નની વાત નિમિતજ્ઞને કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org