________________
૨૦૦
ચોવીશ તીર્થંકર
વામાદેવી સુશીલ, પવિત્ર અને ગુણી હતી.
રાજા અશ્વસેનને વામાદેવી સિવાય અન્ય રાણીઓ હતી પરંતુ વામાદેવીનું સ્થાન સૌથી પ્રથમ હતું આથી વામાદેવીને મહાદેવી તરીકે સૌ કોઈ જાણતા હતા.
વામાદેવી મહારાજા અશ્વસેનની પ્રિય પટ્ટરાણી હતી.
સુખમાં દિવસો શી રીતે પસાર થાય છે તેની કલ્પના આવતી નથી. દુઃખમાં દિવસો પસાર કરવા આકરા હોય છે. દુઃખમાં એક એક પળ વિતાવવી એક એક યુગ જેવી થઈ પડે છે જ્યારે સુખમાં દિવસો ટૂંકા લાગે છે.
મહારાજા અશ્વસેન અને રાણી વામાદેવીના દિવસો સુખેથી પસાર થતા હતા.
ચૈત્રમાસની કૃષ્ણ ચતુર્થીનો દિવસ, વિશાખા નક્ષત્રમાં ઉત્તમ દેવસમૃદ્ધિ ભોગવીને સુવર્ણબાહુ રાજાના જીવે પોતાનું દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરીને ત્યાંથી અવીને તે દેવ અડધી રાત્રે મહાદેવી વામાદેવીના ઉદરમાં અવતર્યો.
તે સમયે વામાદેવીએ તીર્થકરના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશતાં જોયા.
પહેલાં સ્વપ્ન ઉત્તમ હાથી. બીજા સ્વપ્નમાં સુંદર વૃષભ. ત્રીજામાં કેશરી સિંહ. ચોથા સ્વપ્નમાં મહાલક્ષ્મી. પાંચમા સ્વપ્નમાં ફૂલની માળા. છઠ્ઠામાં ચંદ્રમા. સાતમા સ્વપ્નમાં તેજસ્વી ઝગારા મારતો સૂર્ય. આઠમાં સ્વપ્નમાં ધ્વજ. નવમા સ્વપ્નમાં કળશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org