________________
શ્રી પાર્શ્વનાથ સ્વામી
પ્રજા રાજાને ખૂબ જ સ્નેહ કરે.
મહારાજા અશ્વસેનનું નગર કાશી પર્યટકો માટે ખાસ જોવાલાયક ગણાતું.
૧૯૯
કાશી નગરીની શોભા અપૂર્વ હતી. અદ્ભૂત હતી. તેના કોટકાંગરા મજબૂત હતા. નગરના ભવનો રમણીય હતા. રાજમાર્ગો એવાં સુઘડ અને સ્વચ્છ હતા કે પરગામનો માણસ આશ્ચર્ય જ પામી ઊઠે.
બાવન બજાર અને ચોપન ચૌટા વડે તેનો વેપારવણજ ધમધોકાર ચાલતો હતો.
કાશી નગરમાં વિશાળ ધર્માંગારો હતા. ઉત્તમ પ્રકારના ગોષ્ઠિકો હતા. ગોષ્ઠિકો એટલે વાદવિવાદ કરવાનાં સ્થાનો.
કાશી નગરમાં સાધુ સંતોની અવરજવર વિશેષ કરીને રહેતી હોવાથી નગરીના લોકોને ધર્મનું જ્ઞાન મળતું.
કાશી નગરીને વારાણસી પણ કહેવાય.
કાશી નગરના રાજા અશ્વસેનનો મહેલ ખૂબ જ ભવ્ય અને કલા કારીગીરીથી સરસ રીતે શોભી રહ્યો હતો.
રાજભવનમાં પ્રવેશવા માટે એક જ પ્રવેશદ્વાર હતું ખૂબ જ વિશાળ જગ્યામાં રાજભવનનું નિર્માણ થયું હતું.
રાજભવનની બાજુમાં ૠતુ ૠતુ પ્રમાણેના ભવનો હતા. ઋતુ ભવનોની પાસે સરસ મજાનું ઉઘાન હતું.
ઉદ્યાન એટલે બગીચો.
ઉદ્યાન એટલે ઉપવન.
ઉપવનમાં રંગ બેરંગી ફૂલો, લત્તાઓ, ઘટાદાર વૃક્ષો તેમજ એક નાનકડું ભવન પણ હતું. રાજા-રાણી ઉપવનમાં આવે ત્યારે આ નાનકડા ભવનમાં વિશ્રામ કરે અને કુદરતી સૌંદર્યનો આનંદ મેળવે.
રાજા અશ્વસેનને વામાદેવી નામની રાણી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org