________________
૨૩
: શ્રી પાર્શ્વનાથ સ્વામી
આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં ગંગા નદીના કાંઠે કાશી નામનું મોટું નગર હતું.
સુંદર મજાનું નગર. રળીયામણું નગર. સૌને ગમે તેવું નગર. આ નગરના રાજા સુખી અને સંતોષી. આ નગરની પ્રજા પણ સુખી અને સમૃદ્ધ. રાજાને પ્રજા પર ખૂબ જ વહાલ. અને પ્રજા પણ રાજાને ખૂબ જ આદર આપે. રાજા અને પ્રજા વચ્ચેનો સુમેળ એકદમ સરસ. રાજા અને પ્રજા સ્નેહના તંતુ વડે જોડાયેલા હતા.
રાજાના સુખદુઃખમાં પ્રજા સાથ આપે અને પ્રજાના સુખદુઃખમાં - રાજા સાથ આપે.
જ્યાં સ્નેહના ઝરણાં વહેતાં હોય ત્યાં દુઃખ, પરિતાપ સંભવી જ ન શકે.
જ્યાં પ્રેમની પવિત્ર ગંગા ખળખળ વહેતી હોય ત્યાં આનંદ, ઉલ્હાસ અને હર્ષ સિવાય કશું ન હોઈ શકે.
કાશીનગરના રાજા એટલે અશ્વસેન. અશ્વસેન એટલે પ્રજાવત્સલ રાજવી. રાજા અશ્વસેનનો સ્વભાવ અત્યંત દયાળુ અને નમ્ર. અરે..! એમની સરળતા તો એવી કે વાત ન પૂછો...! રાજા પોતાની પ્રજાને ખૂબ જ ચાહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org