________________
૧૯૬
ચોવીશ તીર્થકર
કેવળ જ્ઞાની, એક હજાર મન:પર્યવ જ્ઞાની, આઠસો વાદલબ્ધિવાળા, એક લાખ અને ઓગણોસીતેર હજાર શ્રાવકો, ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ એટલો બહોળો પરિવાર થયો.
શ્રી નેમિનાથ સ્વામીના નિવણનો સમય નજીક આવવા લાગ્યો. આથી શ્રી પ્રભુ રેવતગિરિ આવ્યા ત્યાં ઇન્દ્ર રચેલા સમવસરણમાં બેસીને પ્રભુએ સર્વ જીવોની ઇચ્છાથી છેલ્લી દેશના આપી. દેશનાથી પ્રતિબોધ પામીને અનેક લોકોએ દીક્ષા લીધી. કેટલાક શ્રાવકો થયા, કેટલાક ભદ્રિકભાવી થયા.
શ્રી નેમિનાથ સ્વામીએ પાંચસો ને છત્રીશ મુનિરાજની સાથે એક માસ પર્વતનું પાદપોપગમ અનશન કર્યું. અષાઢ માસની શુકલ અષ્ટમીએ ચિત્રા નક્ષત્રમાં સાયંકાળે શૈલેશી ધ્યાનને પ્રાપ્ત થયેલા પ્રભુ તે મુનિરાજોની સાથે નિર્વાણ પદ પામ્યા.
પ્રધુમ્ન, શાબ, કૃષ્ણની આઠ પટરાણીઓ, ભગવંતના બંધુઓ બીજા વ્રતધારી સાધુ મહાત્માઓ, રાજુલ સાધ્વી વગેરે અવ્યય પદને પ્રાપ્ત થયા.
રથનેમિએ ચારસો વર્ષ ગૃહસ્થપણામાં એક વર્ષ છઘસ્થાપણામાં અને પાંચસો વર્ષ કેવળીપણામાં એમ મળીને નવસો ને એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
રાજુલ સાધ્વીએ પણ એટલું આયુષ્ય ભોગવ્યુ.
શીવાદેવી અને સમુદ્રવિજય રાજા મહેન્દ્ર દેવલોકમાં ગયા. બીજા દશાહ મહર્દિક દેવપણાને પામ્યા.
શ્રી નમિનાથ સ્વામીએ કૌમારપણામાં ત્રણસો વર્ષ છબસ્થ તથા કેવળીપણામાં સાતસો વર્ષ એમ એક હજાર વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
શ્રી નેમિનાથ પ્રભુના નિવણિ પછી પાંચ લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી નેમિનાથ સ્વામીનું નિવણ થયું.
શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા તે સમાચાર દેવલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org