________________
શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
૧૯૫
અંગીકાર કરી. આ સમયે શ્રીકૃષ્ણ નિષ્ક્રમણોત્સવ કર્યો. ઢંઢણકુમાર મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. થોડા સમય પછી અંતરાયકર્મનો ઉદય થયો. ઢંઢણકુમાર જ્યાં જાય ત્યાં તેમને આહાર કશું મળે નહિ. બધા સાધુઓને નવાઈ લાગી. એમણે શ્રી નેમિનાથ સ્વામીને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે પ્રભુએ પૂર્વભવ જણાવ્યો અને અંતરાય કર્મના કારણે ભિક્ષા પ્રાપ્ત થતી નથી તેમ જણાવ્યું. ઢંઢણ મુનિ પરલબ્ધિથી મળતો આહાર ગ્રહણ કરતા નથી.
એકવાર ઢંઢણ મુનિને એક શ્રેષ્ઠીએ ગોચરીમાં મોદક વહોરાવ્યા. ઢઢણ મુનિએ પ્રભુને કહ્યું: ‘આજ મને ગોચરી પ્રાપ્ત થઈ છે તો શું મારું અંતરાયકર્મ ક્ષીણ થયું છે?”
તારું અંતરાયકર્મ હજુ ક્ષીણ થયું નથી, પરંતુ કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી તને આહાર પ્રાપ્ત થયો છે. કૃષ્ણ તને વંદના કરી તે એક શ્રેષ્ઠી જોઈ ગયા તેથી તેને શ્રેષ્ઠીએ તેને પ્રતિલાભિત કર્યા છે.”
આ સાંભળીને ઢંઢણ મુનિએ “આ પરલબ્ધિ આહાર છે.' એવું માનીને તે ભિક્ષા શુદ્ધ સ્વૈડિલ ભૂમિમાં પરઠવવા માંડી.
તે સમયે ઢંઢણ મુનિ વિચારવા લાગ્યા : “અરે જીવોના પૂર્વે પાર્જિત કર્મોનો ક્ષય થવો દુષ્કર છે.'
આમ સ્થિરપણે ધ્યાન ધરતાં ઢંઢણ મુનિને કેવળજ્ઞાન થયું. ઢંઢણમુનિ શ્રી નેમિનાથ સ્વામીને પ્રદક્ષિણા કરીને કેવળીની પર્ષદામા બિરાજ્યા. દેવતાઓ પણ ઢંઢણમુનિને પૂજવા લાગ્યા.
શ્રી નેમિનાથ સ્વામીએ મધ્ય દેશમાં વિહાર કરીને બોધ આપ્યો. ઉત્તર દિશામાં અનેક રાજ્યોના રાજાઓને ધર્મબોધ આપ્યો. દક્ષિણાપથ દેશમાં કમળદેવને બોધ કર્યો.
કેવળજ્ઞાનથી માંડીને વિહાર કરતાં પ્રભુને અઢાર હજાર મહાત્મા સાધુઓ, ચાલીસ હજાર બુદ્ધિમાન સાધ્વીઓ, ચારસો ચૌદ પૂર્વધારી, પંદરસો અવધિજ્ઞાની, તેટલા જ વૈક્રિય લબ્ધિવાળા, તેટલાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org