SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ - ચોવીશ તીર્થંકર નેમિનાથ પ્રભુની આજ્ઞા લઈને સ્મશાનગૃહમાં જઈને કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. એ સમયે કોઈ કારણસર ગામતરે ગયેલા સોમશર્મા બ્રાહ્મણે ગજસુકુમાળને જોયા. સોમશર્માના હૈયામાં ગજસુકુમાળ માટે ક્રોધ ઉત્પન્ન થયો અને પોતાની પુત્રીનું જીવન બરબાદ કર્યું. તેવા વિચારો આવતાં એક બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ હાથમાં લઈને ગજસુકુમાળના મસ્તક પર મૂકી. ગજસુકુમાળ તેના વડે અત્યંત દહન થયા. ગજસુકુમાળે સમાધિપૂર્વક કર્મનો પ્રભાવ માનીને વિપત્તિને સહન કરી. અને મુનિરાજના કર્મો બળીને ભસ્મ થઈ ગયા. તત્કાળ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. અને આયુષ્ય પણ તે જ ઘડીએ પૂરું થયું. મુનિ ગજસુકુમાળ મોક્ષ પદને પામ્યા. શ્રી નેમિનાથ સ્વામી પાસે અનેક યાદવોએ દીક્ષા અંગીકાર કરી. નવ દશહિએ દીક્ષા લીધી. શીવાદેવીએ પ્રભુ પાસે દીક્ષા લીધી. શ્રી નેમિનાથ પ્રભુના સાત સહોદર બંધુઓએ પણ દીક્ષા અંગીકાર કરી. રાજુલ તો દીક્ષા લીધા પછી ઉગ્ર તપ આરાધના કરી રહી હતી. વસુદેવની પત્ની કનકવતી. રોહિણી અને દેવકી સિવાયની દરેક સ્ત્રીઓએ દીક્ષા લીધી. કનકવતીને ભવનમાં જ સંસારની સ્થિતિ જાણતા અને ખેદ પામતાં ઘાતકર્મ તૂટી જવાથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કનકવતીએ સાધ્વીનાં વસ્ત્રો ધારણ કરીને પ્રભુ પાસે આવી. એક માસનું અનશન કરીને મોક્ષે ગઈ. શ્રીકૃષ્ણને ઢંઢણા નામની સ્ત્રી હતી. તેનાથી ઢંઢણકુમાર નામે પુત્ર થયો હતો. તે યુવાવસ્થા પામતાં અનેક રાજકુમારીઓને પામ્યો એકવાર શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી ધર્મબોધ સાંભળતાં તેણે દીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy