________________
શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
૧૯૩
આપને ભોગવવું પડે છે. ગત ભવમાં તમે તમારી પત્નીના સાત સુંદર રત્નો ચોર્યા હતા. પછી જ્યારે તે રડવા લાગી ત્યારે તમે તેને એક જ રત્ન પાછું આપ્યું હતું.
દેવકીના અંતરમાં વિષાદ થયો. પુત્રજન્મની ઇચ્છાથી તે દિવસો પસાર કરવા લાગી. એક વાર શ્રીકૃષ્ણ માતાને વિષાદનું કારણ પૂછ્યું ત્યારે એણે બાળકના લાલનપાલન કરવાની ઈચ્છાથી પુત્રની ઝંખના દર્શાવી.
અને શ્રીકૃષ્ણ સૌધર્મ ઈન્દ્રના સેનાપતિ નૈગમેલી દેવની આરાધના કરી. નૈગમેલી દેવ પ્રસન્ન થયા. અને પ્રસન્ન ભાવે શ્રીકૃષ્ણને કહ્યું : “આપની માતાને આઠમો પુત્ર થશે જ્યારે તે યુવાવસ્થામાં આવશે ત્યારે દીક્ષા અંગીકાર કરીને મુક્તિના માર્ગને અજવાળશે.”
એમ જ થયું.
સમય આવતાં દેવકીના ઉદરમાં એક મહર્થિક દેવ સ્વર્ગથી અવીને પ્રવેશ્યો. અને સમય આવતાં પુત્રરૂપે અવતર્યો. તેનું નામ ગજસુકુમાળ પાડ્યું. દેવકી તેની ઇચ્છા પ્રમાણે ગજસુકુમાળને મોટો કરવા લાગી. તેના અંતરની ઈચ્છા પૂર્ણ થઈ.
ગજસુકુમાળ યૌવનાવસ્થામાં આવ્યો ત્યારે પિતાની આજ્ઞાથી દુમ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યો તેમજ સોમશમાં નામના બ્રાહ્મણની ક્ષત્રિયાણી સ્ત્રીથી ઉત્પન્ન થયેલી સોમા નામની કન્યાને પણ પરણ્યો.
તેવામાં શ્રી નેમિનાથ પ્રભુ ત્યાં સમવસર્યા.
ગજસુકુમાળ તેની અને પત્નીઓ સાથે શ્રી નેમિનાથ સ્વામીના દર્શને આવ્યો. શ્રી નેમિનાથ સ્વામીએ સંસારનો સાર જણાવ્યો. ગજસુકુમાળના અંતરમાં અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થયો. દિક્ષા લેવા માટે બંને પત્નીઓ તથા માતાપિતાની આજ્ઞા મેળવી.
ગજસુકુમાળે શ્રી નેમિનાથ પ્રભુ પાસે આવીને દીક્ષા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે સાયંકાળે ગજસુકુમાળ મુનિ શ્રી
ચો. તી. ૧૩ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org