________________
૧૯૨
કૃષ્ણ જેવા જ જણાય છે.
દેવકીએ તેમને મોદકથી પ્રતિલાલ્યા. બન્ને મુનિવરો ગોચરી લઈને ચાલ્યા ગયા. ત્યાર પછી અજીતસેન અને નિહતશત્રુ મુનિઓ આવ્યા દેવકીએ તેમને પ્રતિલાભિત કર્યાં.
ચોવીશ તીર્થંકર
એટલામાં દેવયશા અને બીજા મુનિ વહોરવા માટે આવ્યા ત્યારે દેવકીથી પૂછ્યા વગર ન રહેવાયું : “મુનિરાજ, આપ વારંવા૨ અત્રે કેમ આવો છો ? નગરીમાં અન્યત્ર ભિક્ષા મળતી નથી ?'
::
દેવકીના પ્રશ્નથી મુનિરાજે કહ્યું : ‘અમને કંઈપણ દિગ્મોહ થયો નથી. અમે છ સહોદરભાઈઓ છીએ. સર્વની આકૃતિ એક જ છે. ભનિલપુરના નાગશ્રેષ્ઠી અને સુલસા શ્રાવિકાના અમે પુત્રો છીએ. અમે શ્રી નેમિનાથ સ્વામી પાસે દીક્ષા લીધી છે. તેથી અમે જુદા જુદા આપને ત્યાં વહોરવા માટે આવ્યા હોઈશું.’
આ વાત સાંભળીને દેવકીજી વિચારમાં પડી ગયા. અને થયું કે આ છયે મુનિરાજો કૃષ્ણ જેવા કેમ લાગતા હશે ? પૂર્વે અતિમુક્ત નામના મુનિવરે કહ્યું હતું કે આપને આઠ પુત્રો થશે...અને તેમાંના શું આ છ પુત્રો મારા તો નહિ હોય ને..?
બીજે દિવસે દેવકીજી સંશયનું નિવારણ કરવા શ્રી નેમિનાથ સ્વામી પાસે ગઈ અને પોતાનો પ્રશ્ન રજૂ કરે તે પહેલા શ્રી નેમિનાથ સ્વામીએ કહ્યું : “દેવકીજી, તમે કાલે જે એક જ આકૃતિ જેવા છ પુત્રોને જોયા તે તમારા જ પુત્રો છે. તેને નૈગમેષી દેવતાએ જીવતાં જ તમારી પાસેથી લઈને સુલસાને આપ્યા હતા.'
દેવકીએ ભાવથી છ મુનિરાજોને નમન કર્યા અને બોલી : ‘હે પુત્રો, તમારા દર્શન થવાથી મને અત્યંત આનંદ થયો. મારા ઉદરમાં જન્મ લેનાર પૈકી એકને મહારાજ્ય પ્રાપ્ત થયું અને તમને છને પ્રવજ્યા પ્રાપ્ત થઈ. જે ઉત્તમ થયું પરંતુ મારા અંતરમાં એટલો વિષાદ છે કે મેં કોઈ પુત્રોને ૨માડ્યા કે ઉછેર્યાં નથી...’
દેવકીમાતા, વૃથા ખેદ શા માટે કરો છો ? પૂર્વજન્મનું આ ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org