SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૯૧ એકવાર શ્રી નેમિનાથ સ્વામી ઉગ્રસેન રાજાની નગરીમાં પધાર્યા. રાજુલકુમારી પ્રભુના દર્શને ગઈ અને વિનંતી કરી ઃ “પ્રભુ, આપ તો જગતના તારણહાર બન્યા. મારો ભવ સુધારો. મને પ્રવજ્યા આપો. મુક્તિનો માર્ગ દર્શાવો.' શ્રી નેમિનાથ સ્વામીએ બીજા દિવસે રાજુલને દીક્ષા આપી. રાજુલની પાછળ અનેક લોકોએ દીક્ષા અંગીકાર કરી. ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે રથનેમિએ પણ સંસારની અસારતા સમજીને માતાપિતાની આજ્ઞા મેળવીને દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી રથનેમિ અન્યત્ર વિહાર કરી ગયા અને રાજુલ સાધ્વી સમુદાય સાથે અન્યત્ર વિહાર કરી ગઈ. પ્રભુ શ્રી નેમિનાથ સ્વામી વિહાર કરતાં કરતાં ભકિલપુર પધાર્યા. બલિપુરમાં નાગશ્રેષ્ઠી નામનો વેપારી રહેતો હતો. નાગશ્રેષ્ઠીને સુલસા નામની પત્ની હતી. ત્યાં સુલસા અને નાગના પુત્રો જે દેવકીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. વસુદેવના સાતપુત્રોમાંથી છ પુત્રોને કંસે માર્યા હતા. તે છ પુત્રોને નૈમેષી દેવતાએ હરી લાવીને સુલતાને આપ્યા હતા. આથી તુલસાએ તે છ પુત્રોનું પાલનપોષણ કરીને મોટા કર્યા. તેઓ પ્રત્યેક બત્રીશ કન્યાઓ સાથે પરણ્યા. તેમણે બોધ પામીને શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. બધા ચરમ શરીરી તથા દ્વાદશાંગીના જાણકાર થયા તેઓ મોટું તપ આચરતાં પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. એકવાર શ્રી નેમિનાથ પ્રભુ વિહાર કરતાં દ્વારિકા નગરી તરફ આવ્યા. ત્યાં સહસ્ત્રામ્રવન નામના ઉપવનમાં સમોસયાં. તે સમયે દેવકીના છ પુત્રોએ છ8 તપના પારણાને અર્થે બે-બેની જોડ થઈ ત્રણ ભાગે જુદા જુદા ગોચરી માટે નગરીમાં ગયા. - તેમાં પ્રથમ અનીકયશા તથા અનંતસેન દેવકીના ભવન પર ગયા. દેવકી બન્નેને જોઈને આનંદ પામી ગઈ અને મનમાં થયું કે આ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy