SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) સ્તુતિ કરી. ત્યારબાદ શ્રી નેમિનાથ સ્વામીએ ભાવભરી ધર્મદેશના આપી.. પ્રભુની દેશના સાંભળીને વદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામીને વ્રત લેવાને ઉત્સુક થયા. ૧૮૯ શ્રીકૃષ્ણે શ્રી નેમિનાથ સ્વામીને વંદન કરીને પૂછ્યું, ‘ભગવંત, આપને વિષે સર્વજન અનુરાગી છે પણ રાજુલનો સર્વ કરતાં વિશેષ અનુરાગ થવાનું શું કારણ છે તે કહો...’ આથી શ્રી નેમિનાથ સ્વામીએ ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ ભવનો તેની સાથેનો પોતાનો સંબંધ કહી સંભળાવ્યો. ત્યારબાદ વરદત્ત રાજા પોતાના આસન પરથી ઊભા થયા અને પ્રભુને વંદના કરીને કહ્યું : ‘સ્વાતિ નક્ષત્રમાં મેઘથી પુષ્કરમાં મુક્તાફળ ઉત્પન્ન થાય છે. તેમ આપનાથી પ્રાપ્ત કરેલો શ્રાવકધર્મ પણ સર્વ પ્રાણીમાત્રને માટે અતિ ફળદાયક છે. હું આપનો પ્રથમ શિષ્ય થવાની ભાવના દર્શાવું છું. મને સંસારસાગર પાર કરવાની શક્તિ આપીને પ્રવજ્યા આપો.... શ્રી નેમિનાથ સ્વામીએ તત્કાળ વરદત્તને દીક્ષા આપી. વરદત્ત મહારાજાની પાછળ અન્ય બે હજાર જેટલા ક્ષત્રિયોએ દીક્ષા અંગીકાર કરી. પૂર્વે ધનના ભવમાં ધનદેવ અને ધનદત્ત નામે બે બંધુઓ હતા. અપરાજીતના ભવમાં વિમલબોધ નામે મંત્રી હતો. તે ત્રણેય સ્વામીની સાથે ભવભ્રમણ કરી આ ભવમાં રાજવી થયા હતા અને સમવસરણમાં આવેલા હતા. તેઓ રાજુલના પ્રસંગથી પોતાના પૂર્વભવની વાત સાંભળવામાં આવતા તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેઓએ તે જ વખતે પ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું. શ્રી નેમિનાથ પ્રભુએ વરદત્ત સહિત અગિયાર ગણધરોને વિધિથી સ્થાપન કર્યાં. તેમને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ પ્રમાણે ત્રિપદી સંભળાવી. આમ તે ત્રિપદી સાંભળતાં જ તેમણે દ્વાદશાંગીની રચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy