________________
૧૮૮
ચોવીશ તીર્થંકર
બાંધનારાં આવાં વચનો બોલશો નહિ.'
રાજુલના આવા શબ્દો સાંભળીને રથનેમિ મૌન થઈ ગયો. અને લજ્જા પામતો પોતાના મનોરથો ક્ષીણ થવાથી કચવાતે મને પોતાના સ્થાને પાછો ફર્યો. ,
રાજુલકુમારી એકમાત્ર નેમિનાથમાં જ અનુરાગ ધરી પોતાના દિવસો પસાર કરવા લાગી.
શ્રી નેમિનાથ સ્વામીએ વ્રત લીધા પછી ચોપન દિવસે વિહાર કરતાં કરતાં પાછા રેવતગિરિ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં વિચય. ત્યાં વેતરના વૃક્ષની નીચે અઠ્ઠમની આરાધના કરીને ધ્યાન ધરતાં શ્રી નેમિનાથના ઘાતક તૂટી ગયા. તેથી આશ્વિન માસની અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતા શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ આસનો ચલિત થવાથી સર્વ ઇન્દ્રો ત્યાં આવ્યા અને તેમણે ત્રણ પ્રકાર (ગઢ)થી શોભતું સમવસરણ રચ્યું. તેમાં પૂર્વદ્વારેથી પ્રવેશ કરીને એકશોવીશ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા દઈ “તીર્થયનમ:' એમ કહીને બાવીશમાં તીર્થંકર પૂર્વાભિમુખે પૂર્વ સિંહાસન પર આરૂઢ થયા. એટલે પશ્ચિમાદિક ત્રણ દિશાઓમાં વ્યંતર દેવતાઓએ ત્રણ દિશાના રત્નસિંહાસન ઉપર શ્રી નેમિનાથ સ્વામિના ત્રણ પ્રતિબિંબ વિકુવ્યાં પછી ચારે પ્રકારનાં દેવદેવીઓ પ્રભુના મુખ પર દૃષ્ટિ સ્થાપીને યોગ્ય સ્થાને બેઠા.
શ્રી નેમિનાથ સ્વામી સમોસમના સમાચાર વાયુવેગે ફેલાવા લાગ્યા. ગિરિપાલકોએ તરત જ શ્રીકૃષ્ણ વાસુદેવને આ સમાચાર જણાવ્યા.
શ્રીકૃષ્ણ, બલરામ, સમુદ્રવિજય, શીવાદેવી, સોળ હજાર મુકુટબંધ રાજાઓ વગેરે સૌ શ્રી નેમિનાથ સ્વામીને વંદના કરવાની ઇચ્છાએ આવી ગયા. અને સમવસરણમાં સૌ પોતપોતાના સ્થાને બિરાજ્યા.
ઇદ્ર તથા કૃષ્ણ ઊભા થઈ ને શ્રી નેમિનાથ સ્વામીની ભક્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org