SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૮૭ સહજ રીતે વાતલિાપ કરતી. શ્રી નેમિનાથકુમારના નાના ભાઈ છે અને એ દાવે સ્નેહ દર્શાવે છે તેવું જ તેણી સમજતી હતી. રાજુલને લેશમાત્ર શંકા નહોતી કે રથનેમિના હૈયામાં વાસનાનો કીડો જાગૃત થયો છે. એક દિવસ રથનેમિ રાજુલના ખંડમાં આવ્યો, રાજુલ એકલી આસન પર બેઠી હતી. એકાંત હતું. તક જોઈને રથનેમિએ રાજુલની સામે જોઈને કહ્યું : “અરે મુગ્ધા, હું તને પરણવા માટે તૈયાર થયો છું છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે ? મારો બંધુ તો ભોગનો અનભિજ્ઞ હતો તેથી એણે તારો ત્યાગ કર્યો છે. તે એની પ્રાર્થના કરી તો પણ એ તારો પતિ થયો નહિ અને હું તો તારી પ્રાર્થના કરું છું. તેથી જે અમારા બેમાં કેવું મોટું અંતર છે?” રથનેમિના શબ્દો સાંભળીને ક્ષણવાર તો રાજુલ હતપ્રભ બની ગઈ. રથનેમિના મલીન વિચારોનો આજે પડદો ખુલ્લો થયો હતો. રાજુલે તેને ધર્મનો બોધ આપ્યો છતાં તે માન્યો નહિ આથી રાજુલકુમારીએ રથનેમિને બીજી રીતે સમજાવવા માટે કિંઠ સુધીનું દૂધનું પાન કર્યું અને વમન કરાવનારું મદનફળ ખાધું પછી રથનેમિને કહ્યું: “એક સુવર્ણનો થાળ લાવો.' રથનેમિ તરતજ સુવર્ણનો થાળ લઈ આવ્યો એટલે તેમાં રાજુલકુમારીએ પાન કરેલું દૂધ વમન કરી નાખ્યું. પછી રથનેમિને કહ્યું: ‘તમે આ દૂધનું પાન કરો.’ રથનેમિ કહેઃ “શું હું શ્વાનની જેમ વમન કરેલું ગ્રહણ કરું?" “શું આ પાન કરવાને યોગ્ય નથી ?” રાજુલ, નાનું બાળક પણ એટલું જાણે કે આ પાન કરી શકાય નહિ.” રાજુલે કહ્યું : “રથનેમિ, જો તમે એટલું જાણતા હોત તો તમારા વડીલબંધ નેમિનાથે મને વમન કરી દીધેલી છે. છતાં તમે મારો ઉપભોગ કરવાની ઈચ્છા કેમ એવો છો ? વળી તમે એના બંધુ છો છતાં આવી ભાવના કેમ પ્રગટે છે ? માટે હવે પછી નારકીના આયુષ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy