________________
૧૮૬
ચોવીશ તીર્થંકર
સમુદ્રવિજય, શીવાદેવી, શ્રીકૃષ્ણ, બલરામ, દશહો વગેરે ચાલતા હતા.
જ્યારે શ્રી નેમિનાથ ઉગ્રસેનના મહેલ પાસેથી નીકળ્યા ત્યારે રાજુલે અટારીએથી નેમકુમારને જોયા. અને વારંવાર મૂચ્છ પામવા લાગી. પ્રભુ તો અવિચ્છિન્ન ગમન કરતાં ઉજ્જયંત (રેવતાચલ) ગિરિના આભુષણ રૂપ સહસ્ત્રાપ્રવન નામના ઉપવનમાં આવ્યા.
શ્રી નેમિનાથ પ્રભુ શિબિકામાંથી ઊતર્યો. પછી અંગ ઉપરથી સર્વ આભુષણો ઉતાર્યા એટલે ઇન્દ્ર તે લઈને શ્રીકૃષ્ણને આપ્યા. જન્મથી ત્રણસો વર્ષ ગયા બાદ શ્રી નેમિનાથ પ્રભુએ શ્રાવણ માસની શુકલ ષષ્ઠીએ પૂવલ કાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને પંચમૃષ્ટિ લોચ કર્યો.શકેન્દ્ર કેશ લઈ લીધા અને પ્રભુના સ્કંધ ઉપર દેવદુષ્ય વસ્ત્ર મૂકયું પછી કેન્દ્ર તે કેશ ક્ષીર સાગરમાં નાખી આવીને સર્વ કોલાહલ શાંત કર્યો. એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું તે જ વખતે શ્રી નેમિનાથ સ્વામીને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રી નેમિનાથ સ્વામીની પાછળ એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી ઈન્દ્ર અને કૃષ્ણ પ્રભુને નમીને પોતપોતાના સ્થાનકે ગયા.
બીજે દિવસે શ્રી નેમિનાથ સ્વામીએ ગોષ્ઠમાં રહેનારા વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર પરમાન્સથી પારણું કર્યું. તે વખતે તેના ઘરમાં સુગંધી જળ, પુષ્પની વૃષ્ટિ, આકાશમાં દંદુભિનો ગંભીર ધ્વનિ, વસ્ત્ર તથા દ્રવ્યની વૃષ્ટિ વગેરે પાંચ દિવ્યો દેવતાઓએ પ્રગટ કર્યા. શ્રી નેમિનાથ સ્વામી ત્યાંથી અન્યત્ર વિહાર કરવા આગળ વધ્યા.
આ તરફ રથનેમિ રાજુલકુમારી જોઈને તેના રૂપસૌંદર્યને જોઈને મોહાંધ બની ગયો હતો. રથનેમિને થયું કે મારા વડીલબંધુ રાજુલને છોડી ગયા તો રાજુલના અંતરને જે ઠેશ પહોંચી છે તે મારે જ દૂર કરવી જોઈએ.
અને રથનેમિ રાજુલકુમારીની વારંવાર મુલાકાત કરવા લાગ્યો અને દર વખતે ઉત્તમ ભેટસોગાદ આપતો રહ્યો અને અંતરમાં રાજુલને પામવાની ભાવના બળવત્તર બનવા લાગી. રાજુલકુમારી તો તેની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www