________________
શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ).
૧૮૫
સખીઓ રાજુલને સમજાવવા લાગી અને અન્ય યાદવકુમાર સાથે સંબંધ જોડવાની વાતો કરવા લાગી.
સખીઓનાં આવાં વચનો સાંભળીને રાજુલે ક્રોધિત સ્વરે કહ્યું : સખીઓ, તમે આવા વચનો શા કારણે કહો છો ? જે મારા કુળને કલંકિત કરનારા છે. ત્રણેય જગતમાં નેમનાથ ઉત્કૃષ્ટ અને સર્વોત્તમ પુરુષ છે. મારે અને એમને આઠ આઠ ભવનો સંબંધ છે. તેઓ મને મૂકીને મુક્તિ. સુંદરીને વરવા ચાલી નીકળ્યા છે. વ્રતદાનમાં તો તેઓ મારો સ્પર્શ કરશે જ એટલે કે મારા મસ્તક ઉપર વાક્ષક્ષેપ કરવા પડે હસ્ત પ્રક્ષેપ અવશ્ય કરશે.' આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલ સખીઓને નિવારી શ્રી નેમિકુમારનું ધ્યાન કરવામાં જ તત્પર થઈને દિવસો પસાર કરવા લાગી.
આ તરફ શ્રી નેમિનાથ સ્વામી દરરોજ વાર્ષિક દાન આપવા લાગ્યા. સમુદ્રવિજય અને શીવાદેવીની આંખોમાંથી આંસુ સૂકાતા નહોતાં. ભગવાન નેમિનાથે રાજુલકુમારીની પૂવૌકત પ્રતિજ્ઞા લોકોના મુખેથી અને ત્રિવિધ જ્ઞાનના પ્રભાવથી જાણી લીધી. છતાં પ્રભુ મમતારહિત રહ્યાં.
શ્રી નેમિનાથ સ્વામીએ નિરિચ્છપણે એક વર્ષ પર્યત દાન દીધું પછી શુક્રાદિક દેવનાયકોએ આવીને પ્રભુનો દીક્ષા સંબંધી અભિષેક કર્યો. ઉત્તરકુરુ નામની રત્નમય શિબિકામાં શ્રી નેમિનાથ સ્વામી આરૂઢ થયા. સુરાસુર મનુષ્યોએ તે શિબિકાને વહન કરી.
આ સમયે પ્રભુની બન્ને બાજુએ શક્ર અને ઈશાનંદ્ર ચામર લઈને આવતા હતા. પ્રભુને કષ્ટ ન થાય તે રીતે ચામર વિંઝતા હતા. સનકુમારે પ્રભુના મસ્તક પર છત્ર ધરી રાખ્યું. માહેન્દ્ર ઉત્તમ ખડગ લઈને ચાલવા લાગ્યા. બ્રહ્મન્દ્ર દર્પણ હાથમાં લીધું. લાંતક ઇન્દ્ર પૂર્ણ કુંભ લીધો. મહાશકેંદ્ર સ્વસ્તિક લીધો. સહસ્ત્રાર ઇન્દ્ર ધનુષ લીધું. પ્રાણતાધીશે શ્રીવત્સ ધારણ કર્યું. અશ્રુતે નંદાવર્ત ઉપાડ્યું, અને બીજા ચમરેંદ્ર વગેરે ઇન્દ્રો હતા. તેઓ અનેક પ્રકારના શસ્ત્રધારી થઈને ચાલતા હતા. સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org