SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૮૩ આક્રંદ કરતાં પ્રાણીઓને બંધનમાંથી મુક્ત કર્યા તેમ હું પણ કર્મબંધનથી મુક્ત થવા માટે અતિ સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાની ભાવના દશવુિં છું.” નેમકુમારના શબ્દોથી માતાપિતા મૂચ્છવિશ થયાં. વાતાવરણમાં ગંભીરતા પ્રસરી ગઈ. સર્વ યાદવોની આંખમાં અશ્રુ રેલાવા લાગ્યાં. શ્રીકૃષ્ણ તરત જ સમુદ્રવિજય અને શીવાદેવી પાસે આવ્યા અને મૂચ્છવિશ બનેલા બન્નેને ઔષધોપચાર દ્વારા ભાનમાં લાવવામાં આવ્યા. શ્રીકૃષ્ણ નેમકુમારને કહ્યું : “તમારાં માતાપિતા આજ શોકસાગરમાં ગરકાવ થયાં છે. એકાએક વૈરાગ્ય પ્રગટવાનું કારણ શું છે ? તમે જેમ પ્રાણીઓને મુક્ત કરી શ્રેષ્ઠ કાર્ય કર્યું તેમ હવે તમારો વિવાહોત્સવ બતાવીને અમને સૌને આનંદિત કરો...' નેમકુમારે કહ્યું : “વડીલબંધુ, મારાં માતાપિતાને, મારા બાંધવોને શોક થવાનું કારણ શું છે તેમને જોવામાં આવતું નથી અને મને વૈરાગ્ય લેવાનું કારણ તો એ છે કે આ સંસાર અસાર છે. આ સંસારમાં ઉત્પન થયેલા પ્રાણીઓ નિરંતર દુખ જ અનુભવતા હોય છે. સૌ સૌનાં કર્મ જદાં હોય છે. કોઈ કોઈના કર્મના ભાગીદાર થતા નથી. સર્વ જીવને પોતપોતાનાં કર્મ ભોગવવાં જ પડે છે. બંધન અને મોહના ઉપાદાનો કેવળ ક્ષણિક સુખ આપનારા છે. ત્યાગ, સંયમ, તપ વગર શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી અને કર્મનો ઉચ્છેદ કરવા પ્રવજ્યા ધારણ કરવી જ પડે છે. આપ કોઈ મને મારા માર્ગેથી રોકશો નહિ.' પુત્રના શબ્દો સાંભળીને મહારાજા સમુદ્રવિજયે કહ્યું : નેમકુમાર, તું સુકુમાર છે. દીક્ષા લીધા પછી તેનું પાલન કરવું સુલભ નથી. દરેક ઋતુમાં ગમે ત્યાં વિહાર કરવો પડે. તારું શરીર તો દિવ્ય ભોગને યોગ્ય છે. તો આ સઘળું તું શી રીતે સહન કરીશ?” - “પિતાજી, જે આત્મા ઉત્તરોત્તર નારકીના દુઃખોને જાણે છે તેની પાસે આ દુઃખો શી વિસાતમાં? તપસ્યાના સહજ માત્ર દુઃખથી અનંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy