________________
ચોવીશ તીર્થંકર
તેઓને રક્ષકોએ વાડામાં પૂરેલા છે. તેથી તેઓ ભયથી પોકાર કરે છે. કારણ કે સર્વ જીવોને પ્રાણ વિનાશનો ભય મોટામાં મોટો છે.'
૧૮૨
ત્યાર પછી દયાના સાગર એવા શ્રી નેમિનાથે કહ્યું : “જ્યાં એ પ્રાણીઓ છે ત્યાં મારો રથ લઈ જા...'
સારથીએ નેમિનાથકુમારની આજ્ઞા પ્રમાણે તત્કાળ રથને પશુઓના વાડા તરફ વાળ્યો.
નેમકુમાર વાડામાં આવ્યા.
પ્રાણનાશના ભયથી ચકિત થયેલા વિવિધ પશુઓને નિહાળ્યા.
કોઈ પિંજરામાં પુરાયેલા હતા, કોઈને પાશમાં નાખ્યા હતા, કોઈને પગે બંધન બાંધ્યું હતું. ઊંચા મુખવાળા, દયામણા નેત્રવાળા અને શરીરથી કંપતા પ્રાણીઓએ નેકુમારને જોયા. પ્રાણીઓએ પોતપોતાની ભાષામાં નેમકુમાર સમક્ષ રક્ષણની માંગણી કરી.
નેમકુમારનું હૃદય દ્રવી ઊઠ્યું. પશુઓ પ્રત્યે કરુણા ભાવ પ્રગટ થયો. નેમકુમારની આંખમાંથી બે મોતીના દાણા જેવા અશ્રુઓ ટપકી પડ્યાં.
નેમકુમારે સારથિને દરેક પશુઓને મુક્ત કરી દેવાની આશા કરી. સારિથએ નેમકુમારની આજ્ઞા મળતાં વાડાના દરેક પ્રાણીઓને બંધનમુક્ત કર્યાં. થોડી જ વારમાં પ્રાણીઓ પોતપોતાનાં સ્થાને ચાલ્યાં ગયાં.
નૈમકુમારના મુખ પર સંતોષની રેખા ઊપસી આવી. સારથિ પાછો ફર્યો ત્યારે નેમકુમારે કહ્યું : ‘સારથિ, રથ પાછો વાળ.'
અરિષ્ટનેમિનો રથ પાછો વળતો જોઈને સર્વત્ર હાહ્યકાર મચી ગયો. તે સમયે સમુદ્રવિજય અને શિવાદેવી આવી પહોંચ્યાં. એમણે સજળ નયને નેમકુમારને પૂછ્યું : ‘કુમાર, આમ એકાએક શા માટે પાછા ફરો છો ?’
નેમકુમારે કહ્યું : જેમ વાડામાં આ પ્રાણીઓ બંધનગ્રસ્ત હતાં તેમ આપણે સૌ કર્મરૂપી બંધનથી બંધાયેલાં છીએ અને જેમ મેં તે કરૂણ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International