SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ) ૧૮૧ જેમ શોભી રહ્યો હતો. કરકમળથી કમળપંડયુક્ત સરિતા જેવી દેખાતી હતી. જાણે કામદેવની ધનુલતા ન હોય તેમ તેનો કટિ પ્રદેશ મુષ્ટિગ્રાહ્ય હતો. જાણે સુવર્ણફલક હોય તેવા નિતંબ વડે મનોરમ હતી. કદલી જેવા તેના ઉરૂ હતા. મૃગલીના જેવી તેની જંઘા હતી. રત્ન જેવી નખાવલી હતી. છેડાદાર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. અને અંગે ગોરૂ ચંદનનું વિલોપન કર્યું હતું. આ પ્રમાણે તૈયાર થઈને રાજકુમારી રાજુલકુમારી સખીઓ જોડે ગોખે આવીને શંખાકૃતિ આસન પર બેઠી હતી. ત્યાં રહીને રાજુલે જાણે પ્રત્યક્ષ કંદર્પ હોય તેમ લ્દયમાં પ્રદીપ્ત કરનાર નેમિનાથને દૂરથી જોયા. નેમકુમારને જોઈને રાજુલના અંતરમાં વિચાર સ્ફરિત થયો : ખરેખર હું ભાગ્યવાન છું. આવા મનથી પણ અગોચર એવા સ્વામી મળવા દુર્લભ છે. ત્રણ લોકના આભૂષણ રૂપ એવા આ સ્વામી મને પ્રાપ્ત થાય તો મારી કઈ આશા અધુરી રહે ! નેમકુમાર મારી સાથે વિવાહ કરવાની ભાવનાથી આવ્યા છે. પણ મને પ્રતીતિ આવતી નથી. કારણ કે આવા મહાપુરુષ ઘણું પુણ્ય સંપાદન કર્યું હોય તો જ પ્રાપ્ત થાય...' આ પ્રમાણે વિચારતી હતી ત્યાં તેનું દક્ષિણ લોચન અને દક્ષિણ બાહુ ફરક્યો. આથી રાજુલના અંતરમાં સંતાપ પેદા થયો. તે ગભરાઈ ગઈ. અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. રાજુલે ગદ્ગદ્ સ્વરે સખીઓન વાત કરી ત્યારે સખીઓએ અમંગળ હણાઈ જશે અને કુળદેવીઓ મદદ કરશે તેવું સાંત્વન આપ્યું ત્યાં માર્ગમાં નેમકુમારને પ્રાણીઓનો કરૂણ ૨ સંભળાયો. નેમકુમારનું હદય દ્રવી ઊર્યું. તેમના અંતરમાં અરેરાટી ફેલાઈ ગઈ. નેમકુમાર જાણતા હોવા છતાં સારથિને કહ્યું: “સારથિ, આ શું સંભળાય છે? “કૃપાવંતઆપના વિવાહમાં ભોજનને માટે વિવિધ પશુઓને લાવવામાં આવ્યા છે. તેઓ અહીં ભોજનને નિમિત્તે પંચત્વને પામશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy