________________
શ્રી નેમિનાથ સ્વામી (અરિષ્ટનેમિ)
૧૭૯
નેમકુમારે રમતા રમતા શ્રીકૃષ્ણની ભુજા નમાવી દીધી. ત્યારપછી નેમકુમારે પોતાની લાંબી ભુજા ધરી રાખી પરંતુ કૃષ્ણ નેમકુમારની ભુજાને નમાવી શક્યા નહિ.
શ્રીકૃષ્ણને થયું કે જેમકુમાર અતિ બળવાન અને શક્તિશાળી છે. એમણે નેમકુમારની ભુજા છોડી દીધી. અને કહ્યું : “પ્રિય બંધુ, જે બલરામજી મારા બળથી જગતને તુચ્છ સમજે છે તેમ હું તમારા બળથી સમગ્ર વિશ્વને તૃણ સમાન સમજું છું.”
એ સમયે કેમકુમારનો નાનો ભાઈ રથનેમિ પણ આ ભુજાબળનું યુદ્ધ જોવા આવ્યો હતો. પોતાનો ભાઈ આટલો શક્તિશાળી છે તે જાણીને હર્ષ થયો.
મહારાજા સમુદ્રવિજય, મહાદેવી શિવાદેવી, શ્રીકૃષ્ણ, બલરામ તથા રાજપરિવારના સભ્યો નેમકુમારના વિવાહ માટે વિચારણા કરતા હતા ત્યારે સત્યભામાએ જણાવ્યું : “મારી રાજુલ નામની નાની બહેન નેમકુમાર માટે સુયોગ્ય છે.”
અને હાજર રહેલા સૌને સત્યભામાની વાત પસંદ આવી ગઈ. શ્રીકૃષ્ણ તરત જ મહારાજા ઉગ્રસેનની નગરીમાં ગયા અને મહારાજા ઉગ્રસેનને મળીને કહ્યું : “રાજન, આપની રાજુલકુમારી નામની કન્યા છે, તે મારા અનુજ ભાઈ નમિ કે જે મારાથી ગુણમાં અધિક છે, તેને યોગ્ય
ઉગ્રસેન શ્રીકૃષ્ણનો પ્રસ્તાવ સાંભળીને અતિ હર્ષિત બન્યા અને સહર્ષ નેમકુમાર સાથે રાજુલકુમારીના વિવાહની વાત પાકી થઈ.
અને નક્કી કરેલા દિવસે નેમિનાથને વિવાહ માટે ઉગ્રસન રાજાને ત્યાં લઈ જવા માટે તૈયાર કર્યો. મહારાજા સમુદ્રવિજય અને મહાદેવી શિવાદેવીના હરખનો પાર નહોતો. રથનેમિ પણ લગ્નમાં આવવા માટે તૈયાર થઈ ગયો હતો.
અને લગ્નયાત્રા શરૂ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org