SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ચોવીશ તીર્થંકર નેમકુમારની તાકાતનો વિચાર કરતા હતા. ત્યાં નેમકુમાર શ્રીકૃષ્ણ પાસે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણ નેમકુમારને પોતાની બાજુમાં બેસાડીને પૂછ્યું : “નેમકુમાર, હમણાં પંચજન્ય શંખ તમે ફેંક્યો હતો? જેના ધ્વનિ માત્રથી પૃથ્વી પણ એક પળ થંભી જાય છે.” કેમકુમારે કહ્યું : 'હા....વડિલબંધુ, આપનો શંખ મેં ફેંક્યો હતો. કારણ કે આપના અસ્ત્રાગારના મુખ્ય રક્ષક ચારૂકૃષ્ણ મને કહ્યું કે આ શંખ શ્રીકૃષ્ણ મહારાજ સિવાય કોઈ બજાવી શકે નહિ. એથી મેં તે શંખ હસતાં હસતાં બજાવ્યો.' નેમકુમારનો ઉત્તર સાંભળીને શ્રીકૃષ્ણને થયું કે કેમકુમાર ખરેખર શક્તિશાળી છે. હું કેમકુમારના ભુજબળની પરીક્ષા કરું.... શ્રી કૃષ્ણ આમ વિચારીને રેમકુમારને કહ્યું : “નેમકુમાર, મારા સિવાય પંચજન્ય શંખ ફૂંકવાને કોઈ સમર્થ નથી. તમે શંખ ફૂક્યો તે જાણીને આનંદ થયો. મને વિશેષ પ્રસન્ન કરવા માટે તમારું ભુજાબળ બતાવો મારી સાથે બાહુ યુદ્ધ કરો.” નેમકુમારે પ્રસન્ન ર્દયે હા પાડી. એક વીર યોદ્ધા કરતાં અનેકગણું વધારે બળ વાસુદેવમાં હોય છે. વાસુદેવ કરતાં અનેક ગણી શક્તિ ચક્રવતીમાં હોય છે અને ચક્રવતી કરતાં અનેકગણી વધારે તાકાત તીર્થકરમાં હોય છે. શ્રીકૃષ્ણ અને રેમકુમાર અસ્ત્રાગારમાં આવ્યા. દયાના સાગર એવા નેમકુમારે વિચાર્યું કે જે હું હાથથી, પગથી કે છાતીથી કૃષ્ણને દબાવીશ તો શા હાલ થાય ? આથી કૃષ્ણ કેવળ મારું ભુજબળ જાણે તે જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને નેમકુમારે શ્રીકૃષ્ણ સામે જોઈને કહ્યું : વડીલબંધુ, વારંવાર ધરતી પર પડવું અને ઊભું થયું તે સામાન્ય માનવીનું કામ છે. આથી આપણે પરસ્પર ભુજા નમાવવા વડે જ યુદ્ધ કરીએ..” એમ જ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005243
Book TitleChovish Tirthankar
Original Sutra AuthorN/A
AuthorVimalkumar Mohanlal Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy